SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વજફડલ ક ૭૩ તે સમયના રિવાજ પ્રમાણે યુવરાજને પોતાના ભોગવટા માટે અમુક પ્રદેશ સ્વતંત્ર આધિપત્ય મળતું. કુમાર વજકંડલના પિતા તો ચક્રવર્તી હતા, તેથી તેમણે કુમારને ઘણાં નગરો ભોગવટા અર્થે આપ્યાં. - કુમારે પણ પોતાના પિતાના મંત્રી મતિસાગરના પુત્ર મતિનિધાન નામના પોતાના બાલમિત્રને તે પ્રદેશનો વહીવટ સુપ્રત કર્યો, અને પોતે પિતાના સાંનિધ્યમાં આનંદમય દિવસો વીતાવવા. લાગ્યો. અ. સુષેણ નામે દેશ છે. ત્યાં સિંધુવીર નામે રાજા રાજ્ય કરે છે. તેને બે રાણી છેઃ વીરમતી અને પશ્રી. બન્ને રાણીને એકએક પુત્ર છેઃ વીરસેન અને સિંધુસેન. દીકરા તો બન્ને રાજાના છે, પણ સ્વાભાવિક રીતે જ બેઉમાં આભ-જમીનનો તફાવત છે. વિરસેન શૂરવીર છે, તેની સાથે વિવેકી પણ છે. વળી જેવો વિવેકી છે, તેટલો જ લોકપ્રિય પણ છે. તેનું પરાક્રમ, તેના ગુણો, તેનો વિનય અને તેનો પ્રજાપ્રેમ બધું જ અસામાન્ય છે. તો સિંધુસેનનું એનાથી તદ્દન વિપરીત છે. તે પરાક્રમી પૂરો, પણ ઉશૃંખલ પણ એટલો જ. પ્રજા સાથેનો તેનો વ્યવહાર એવો કે પ્રજા આપમેળે તેને નકારતી. વિનય કે વિવેકનો તો છાંટો પણ નહિ. પણ રાજાની માનીતી રાણીનો દીકરો, એટલે સૌ અનિચ્છાએ પણ તેને સ્વીકારતા. - રાજા સિંધુવીરને બે રાણી: વીરમતી અને પદ્મશ્રી. બેમાં પદ્મશ્રી જરા રાજાને વધુ માનીતી. વીરમતી અણગમતી કે અણમાનીતી નહિ, પણ પાશ્રીનું આકર્ષણ રાજાને વિશેષ રહેતું. અને ગમતી રાણીના કુમારને ઠપકો આપવાનું કે શિક્ષા કરીને વિવેકને માર્ગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy