SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ સમરું પલપલ રાવત નામ માધ્યમથી પરમાત્માની, ગુરુભગવંતની તથા સધર્મની પ્રાપ્તિનો અકથ્ય અને અપાર આનંદ અનુભવી રહ્યા. શત્રુને નહિ, તેના હૃદયમાં રહેલી શત્રુતાને નષ્ટ કરો. અને એને નષ્ટ કરવાનું અમોઘ શસ્ત્ર એક છેઃ પ્રેમરસ્યો મૈત્રીભાવ.” ગુરુભગવંતોએ વારંવાર શીખવેલો આ પદાર્થપાઠ કુમાર કુબેરદત્તને બરોબર ફળ્યો. બે બે જોરૂકા દુશ્મનોને તેણે આ શસ્ત્ર થકી જ જીત્યા, અને હવે તો એ બન્ને તેના ધર્મમિત્ર બની ગયા હતા. બન્નેના હૈયામાં રહ્યું હું પણ શત્રુતાનું શલ્ય હવે સાવ નામશેષ થયું હતું. હવે તો જિનધર્મ સમજવો, આરાધવો અને તેના માર્ગદર્શન પ્રમાણે જીવન-વ્યવહાર વર્તાવવો એ જ એમનું લક્ષ્ય બની ચૂક્યું હતું. બન્ને રાજાઓએ અવસર જોઈને કુમારની તથા વિશ્વકાંત રાજાની અનુમતિ લીધી, અને પોતાને સ્વદેશ ગયા. ત્યાં પહોંચીને પહેલું કામ તેમણે પોતપોતાનાં નગરોમાં જિનચૈત્યોનું નિર્માણ કરવાનું કર્યું. ચૈત્યોનું નિર્માણ અને તેની પ્રતિષ્ઠા ઇત્યાદિ થયા પછી બન્ને રાજાઓ અને તેમનો પરિવાર નિત્ય જિનપૂજા કરે છે, દેવદર્શન કર્યા વિના રહેતા નથી. પરમાત્માનું સ્વરૂપ જેમજેમ તેમને સમજાતું જાય છે, તેમ તેમ તેમના મનમાં પોતાના ધર્મદાતા કુમાર કુબેરદત્ત તરફનો અહોભાવ પણ વધતો જાય છે. પોતાના આ અહોભાવને વ્યક્ત કરવા માટે તેઓ અવારનવાર અવનવાં ભેંટણાં કુમારને મોકલતા રહે છે. ક્યારેક રત્નો, ક્યારેક અશ્વો, ક્યારેક ગજરાજ તો ક્યારેક બીજું કાંઈ. એક પ્રસંગે તે બન્ને રાજાઓએ લાખ સોનૈયાના મૂલ્યનો એક એવા બે અશ્વો કુબેરદત્તને માટે ખરીદ્યા, અને વિશ્વપુર મોકલી આપ્યા. અશ્વો ઉત્તમ જાતિના હતા. તાલીમ પ્રાપ્ત હતો. અને રાજપૂત બચ્ચાને અશ્વ મળે તો જાણે સ્વર્ગનું સામ્રાજ્ય મળ્યું! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy