SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કુબેરદત્ત જ પ૩ – આરાધન આવી અભુત રીતે થાય છે, તે તો મેં કદી જાણ્યું જ નથી; જોવાની તો વાત જ ક્યાં? એટલે મને તો એમ લાગે છે કે કુમારે આપણા પર આ મોટો ઉપકાર જ કર્યો છે કે આપણને આવા મહાન દેવના દર્શન પમાડ્યાં.” કુમારે જોયું કે લોઢું બરાબર તપવા માંડ્યું છે, હવે ઘાટ ઘડી દેવા જેવો છે. તેણે તરત ત્રણે રાજાઓને વિનંતિ કરી કે બાજુમાં જ ઉપાશ્રય છે, ત્યાં જૈન સાધુભગવંત આચાર્ય વિમલયશસૂરિ મહારાજ બિરાજમાન છે. બહુ જ્ઞાની છે. અતિશય પવિત્ર છે. એમને જોતાં જ આપણા ચિત્તને શાંતિ વળે અને આપણાં પાપ બળી જાય તેમ છે. આપ સહુ પધારો તો જઈએ; એમના મુખેથી કાંઈક બોધવચન સાંભળીએ. પ્રભુજીનાં દર્શન પામીને ત્રણે રાજવીનાં ચિત્ત એવાં તો હળવાં બની ગયેલાં કે કુમારે કહ્યું તે સાથે જ તેમના પગ ઉપાશ્રયની દિશામાં વળી ગયા. ગુરુભગવંત પણ તેજથી જળહળતા, સૌમ્ય અને પ્રસન્ન મુખમુદ્રા વડે વિલસતા હતા. તેમને જોતાં જ સૌ નમી પડ્યા. દરેકને અવર્ય શાંતિનો અનુભવ થવા માંડ્યો. કુમારે ભગવંતને વીનવ્યાઃ પ્રભો! અમારે યોગ્ય ધર્મબોધ ફરમાવો તો મોટો ઉપકાર થશે. ગુરુભગવંત કુમારના મનોભાવો કળી ગયા, ને તેમણે આગંતુક આત્માઓની ભૂમિકાને અનુરૂપ વીતરાગ-ધર્મની દેશના પ્રરૂપી. કુમારે પૂર્વભૂમિકા એવી તો વ્યવસ્થિત બાંધી દીધી હતી કે ગુરુભગવંતની એક જ દેશનાએ સ્વાતિ નક્ષત્રની વૃષ્ટિનું કામ સાધી આપ્યું. ત્રણે રાજાઓનાં મનમાં જિનધર્મ જચી ગયો, અને તેમણે ગુરુમુખે તેનો અંગીકાર પણ કર્યો. પરબલસિંહને તથા ખસ-રાજવીને જીતી લીધા તે ક્ષણે જેટલો હર્ષ થયો હતો, તેથી અનેકગણો અધિક હર્ષ કુમાર કુબેરદત્તે આ ધન્ય ઘડીએ અનુભવ્યો. તો ત્રણે રાજવીઓ પણ કુમારના ઉપકારનો, અને તેના | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy