SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કબેરદત્ત ૩૭ બન્ને બધી વાતે સુખી, પણ એક વાતનું મોટું દુઃખ, શેર માટીની ખોટ બન્નેને બહુ સાલે. બને આ મુદ્દે અત્યંત વ્યાકુળતા અનુભવે. ગમે તેવા આનંદપ્રમોદ ચાલતાં હોય, પણ ત્યારે પણ જો આ વાત યાદ આવી જાય તો બન્ને ઉદાસઉદ્યસ થઈ જાય, ને પછી રંગ-રાગ પડી ભાંગે. પછી બન્ને હિઝરાયાં કરે. | મનમાં રહી રહીને એક જ વાત આવેઃ આવડું મોટું રાજ્ય, આટલું બધું અપાર સુખ, પણ ખોળાનો ખુંદનારો ન હોય, આ બધું સંભાળનારો ન હોય, તો આ બધું હોય કે ન હોય, સરખું જ છે ને! ને છેવટે બેય નીસાસો નાંખતાં બોલેઃ જેવાં આપણાં ભાગ્યા ભાગ્યમાં જ નહિ હોય તો ક્યાંથી આવશે? આમ ને આમ દિવસો તો વધે જાય છે. પણ મન બેમાંથી એકેયનું માનતું નથી. “શું કરીએ ને સંતાન-પ્રાપ્તિ થાય' – આ જ વિકલ્પ મનમાં વમળાયા કરે છે એક દિવસની વાત છે. રાજા વિશ્વકાંત ફરવા નીકળ્યો છે. ફરતાંફરતાં તેનો રસાલો નગરની બહાર – રાજ્યના ઉદ્યાનમાં આવેલા કુબેર યક્ષના ચૈત્ય પાસે જઈ ચડ્યો. મંદિર જોયું કે રાજા ઘોડેથી ઊતરી ગયો. ગયો મંદિરમાં, યક્ષરાજની ભવ્ય પ્રતિમાને પ્રણામ કર્યા, ને પછી તેમની સ્તુતિ કરવા માટે ત્યાં થોડીવાર ઊભો રહ્યો. કુબેર તો ધન-વૈભવના દેવ. રીઝે તો જે જોઈએ તે આપી દે. રાજાને સ્તુતિ કરતાં કરતાં આ વાત યાદ આવી. તેને થયું કે સંતાન માટેની મારી ભૂખ આ કુબેર દેવ ન સંતોષે? આ તો મનવાંછિત આપનારા દેવ છે, હું માગું તો આપે જ. તેણે તે પળે યક્ષરાજને ઉદ્દેશીને માનતા માની: હે કુબેર દેવ! જો આપના પસાયે મને દીકરો થશે, તો હું આપની પૂજા નિમિત્તે મહોત્સવ ઉજવીશ. મેળો ભરીશ, અને મારા એ પુત્રનું નામ આપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy