SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ – ૨૮૮ સમરું પલપલ સુવ્રત નામ - જગતનું કલ્યાણ કરવાના છે, એટલે તેમણે આવું દાન આપવું જ પડે, કેમકે લક્ષ્મી વીજળીના ઝબકારા જેવી ચંચળ અને ક્ષણિક છે. તે મળ્યા પછી જો તેના પરનું મમત્વ ન છાંડે, અને દાન આપીને બીજાઓને સુખી ન કરે, તો સર્વ સંગનો તેમ જ શરીરની મમતાનો ત્યાગ કરીને દીક્ષા લેવાનું અત્યંત કઠિન કામ તે કેવી રીતે કરી જ શકે? અને એ કર્યા વિના કેવળજ્ઞાન પણ શી રીતે મળે? એટલે તેમણે દાન તો આપવું જ પડે.' બીજી રીતે વિચારીએ તો તેમણે વાર્ષિક દાન આપીને જાણે કે સત્પરુષોને એક શીખ આપી કે જો તમારી પાસે વૈભવ હોય, તો દીન-અનાથ લોકોને દાન આપ્યા વિનાના ન રહેશો, એમાં પણ દીક્ષા લેવાની હોય તો તો અવશ્ય દાનધર્મ આચરજો.” શાસ્ત્રો કહે છે કે દાન અને ખાસ કરીને વર્ષીદાન આપવાથી ચાર વાનાં થાય છે : એક, ધન-વૈભવ પરની આસક્તિ છૂટે; બે, દુઃખિયારા જીવો પ્રત્યે કરુણા વહેવા માંડે; ત્રણ, ધર્મ-પ્રવચનની પ્રશંસા તથા પ્રભાવના વિસ્તરે; ચાર, દાન થકી પુણ્ય વધે. રાજા મુનિસુવ્રતે આ સર્વ લાભો હાંસલ કરી લીધા. બરાબર એક વર્ષે “દાન' ની પૂર્ણાહૂતિ થઈ. એ પૂર્ણ થતાં જ મુનિસુવ્રત-રાજે સંકલ્પ કર્યો : હવે હું મહાભિનિષ્ક્રમણ કરું. એમના એ સંકલ્પની બીજી જ ક્ષણે નવ લોકાંતિક દેવોનાં આસનો વિચલિત થવા માંડ્યાં. તેમને પોતાની ફરજ યાદ આવી, અને એ સાથે જ તેઓ પૃથ્વીલોક પર ઊતરી આવ્યા. રાજા મુનિસુવ્રત સમીપે આવીને તેમણે “જય જય નંદા, જય જય ભદો વગેરે મંગલ શબ્દો વતી તેમને નવાજ્યા, અને વીનવ્યા કે “હે ભગવંત, આપ બોધ પામો! જગતના સર્વ જીવોનું શ્રેય કરનારા ધર્મચક્રનું – તીર્થનું પ્રવર્તન કરવા માટે આપ હવે સર્વવિરતિ અંગીકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy