SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવર્ગ જ ૨૫૭. આ નર્તકીએ નૃત્યભંગ થવાની ભીતિથી હાથનો કે અન્ય અંગનો ઉપયોગ ન કરતાં પોતાના સ્તનપ્રદેશને જ “ગોફુરણ'ની માફક થરકાવ્યો, ને માખીને ઉડાડી દીધી, આ તેની અનન્ય નિપુણતા જ ગણાય. અને આવી નિપુણતાના પરખંદા પણ ભાગ્યે જ જડે. આપણા સદ્ભાગ્યે આપણા દરબારનો આ પરદેશી નટ કે વંઠ જે કહો તે: તેને આવી નિપુણતાની અને કલાની ઊંડી તેમજ બારીક સૂઝ-સમજ છે. એણે નર્તકીની આ અનન્ય કુશળતા તત્ક્ષણ પકડી લીધી. અને પકડી લીધી કે તેનાથી રહી ન શકાયું; એટલે તેણે ચાલુ નૃત્ય જ પોતાનું અંગવસ્ત્ર નર્તકી પર ફેંકી દીધું. સાચો કલાવિદ્ કલાની યથાર્થ પ્રસ્તુતિ થતી હોય ત્યારે દાદ આપ્યા વિના રહી જ ન શકે, મહારાજ! ભલે પછી તેમ કરવા જતાં તેણે આપના જેવાનો રોષ પણ વહોરવો પડે. રાજા તો વિસ્ફારિત વદને આ બધી ઝીણી વાતો સાંભળી જ રહ્યા. તેમનો રોષ તો ઘટવા માંડ્યો હતો, પણ હજી શું કરવું તેનો નિર્ણય થઈ શકતો નહોતો. ત્યાં કુમારે પોતાની વાત આગળ ચલાવતા કહ્યું : માટે મહારાજ! આ નટ ભલે આપણી દૃષ્ટિએ વંઠ હોય કે નિમ્ન કક્ષાનો હોય, પણ તેણે સાચા કલાકારને સાચા સ્થાને દાદ તેમજ ઈનામ આપીને અનુચિત નહિ, પણ ઉચિત જ કર્યું છે, અને તેણે તો આપણી સભાની આબરૂ વધારી છે કે આ રાજાની સભાના વઠો પણ આટલા બધા કલાપારખુ છે. તો ખુદ રાજા કેવા હશે? એટલે તેને સજા કરવાનો વિચાર મનમાંથી કાઢી નાખો, ને તેને ઈનામ આપો, મહારાજ! રાજા તેની વાતમાં હવે સહમત થયા. પણ તેમના મનમાં હજીએ એકાદ શંકા રહી ગઈ હશે, તે તેમણે કુમારને પૂછી લીધી : કુમાર! મને એક વાત ન સમજાઈ કે આ વંઠે પોતાનું મામૂલી અંગવસ્ત્ર ફેંક્યું, તો નર્તકીએ “મોટી કૃપા કરી' એમ કહીને આનંદભેર તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy