SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ કરતાં રાજાજી સાજા થઈ જાય તો ભયોભયો! આપણે એટલું જ ખપે છે. ને કોઈ વખત સ્વપ્ન ખોટું પડે, તો પણ આપણા હાથે પરમાત્માની પૂજાનો ધર્મ તો થયો જ ગણાય; ધર્મ કરવામાં ખોટું પણ શું છે? આવો વિચાર કર્યાં પછી હું આપની પાસે આવ્યો છું. આપને બધી વાત કરી દીધી. હવે આપને જે ઠીક લાગે તેમ નિર્ણય કરો. મિત્ર! વાત પૂરી કરતાં રાજાએ કહ્યું:મને શ્રદ્ધા છે કે કામરતિ સ્વપ્ન અનુસાર પ્રભુપૂજા માટે તૈયાર થશે જ. જિનમિત્રે વાત પકડી લીધી. તે પહોંચ્યો કામરતિ પાસે. બધી વાત ઠાવકાઈથી કરી. તો રાણી તત્કાળ પૂજા માટે સંમત થઈ ગઈ. તેણે તે જક દિવસથી તે કાર્ય પ્રારંભવાનું ગોઠવ્યું. ૧૩૦ સમરું પલપલ સુવ્રત નામ જિનમિત્રે રાજાને ખબર આપતાં તે રાજી થઈ ગયો. કામતિ રોજ એકેક જિનચૈત્યે જાય છે. દેવાધિદેવની અત્યંત ભક્તિપૂર્વક પૂજા-આંગી-ભક્તિ વગેરે કરે છે. જિનમિત્ર તેની સાથે જાય છે, અને પૂજાનો વિધિ શીખવીને યોગ્ય દોરવણી આપતો રહે H• બે-ત્રણ દિવસ ગયા, ને એક દહાડો રાજાએ જિનમિત્રને રાણી પાસે વાત કરવા મોકલ્યો. રાણી હતી દેરાસરમાં. તો જિનમિત્ર ત્યાં પહોંચ્યો, ને રાણીને બહાર બોલાવીને કાનમાં વાત કહેવા માંડી : દેવી! અદ્ભુત ઘટના બની છે. આજે રાજાજીએ મને હાક મારીને બોલાવ્યો ને મારી સાથે અત્યંત સ્વસ્થતાથી ને હસીને અનેક વાતો કરવા માંડી છે. વાતવાતમાં એ બોલ્યાઃ ભાઈ! કામદેવના મોહમાં હું ભ્રમિત થઈ ગયો હતો એમ લાગે છે. એ ભ્રાંતિમાં આટલા દહાડા ક્યાં ગયા, શું કર્યું, દિવસ છે કે રાત, ખાધું કે નહિ, તેનું મને જરા પણ ભાન નથી રહ્યું. પણ આજે સવારથી જ મને જરા સ્વસ્થતા વરતાય છે ને મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy