SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વજ્રકુંડલ ૧૧૫ છે. છ ખંડ ઋદ્ધિના ભોક્તા અને અભંગ આશાના સ્વામી એવા ચક્રવર્તી પણ,ગુરુની નિશ્ચ પામીને પોતાની જાતને ધન્યધન્ય અનુભવી રહ્યા છે. ગઈકાલ સુધી આજ્ઞા આપવામાં જે આનંદ આવતો હતો, તે કરતાં અનેકગણો ઉત્કટ આનંદ એમને આજે ગુરુઆજ્ઞાને ઝીલવામાં આવી રહ્યો હતો. જેની નિશ્રામાં જગત વર્તતું હતું, તેણે આજે ગુરુની નિશ્રામાં પોતાનું કલ્યાણ શોધી લીધું હતું. તેઓ પોતાના જ્ઞાની ગુરુ અને વિશાળ મુનિસમુદાય સાથે ગંધમાદનપુરેથી અન્યત્ર વિહરી ગયા છે. તો આ બાજુ, ચક્રવર્તીના સંસારત્યાગ પછી કેટલાક રાજાઓને થયું કે ચક્રવર્તીના છોકરા કાંઈ ચક્રવર્તી ન થાય. આપણે આજ સુધી સમ્રાટની સેવા જ કર્યા કરી. હવે એના છોકરાની સેવા કરવાની કોઈ જરૂર નથી. હવે તો આપણે સાવ સ્વતંત્ર! આમ વિચારીને તેમણે વજકુંડલની ધૂંસરી ફગાવી દીધી. એકે કર્યું, તો તેનું જોઈને બીજાએ પણ એવું કર્યું. અને જોતજોતામાં આ ચેપ વ્યાપક બની ગયો. વજકુંડલને આ વાતનો ખ્યાલ આવતાં જ તેણે પોતાના સૈન્યને સજ્જ કર્યું અને તે સ્વયં સવારી લઈને માથું ઊંચકનારા રાજાઓ પર ચડી ગયો. Jain Education International પોતે ભારે બળવાન, સાથીદારો પણ વી૨સેન જેવા જોરાવ૨, ને સૈન્ય પણ જેટલું વિરાટ તેટલું જ યુદ્ધ નિપુણતાવાળું; એટલે ચપટી વગાડતાં જ તેણે માથું ઊંચકનારા તમામ રાજ્વીઓને પાછા નાથી દીધા અને તેમને તેમની મર્યાદાનું ભાન કરાવી આપ્યું. લતઃ ચક્રવર્તી ન હોવા છતાં તેના જેવો જ તે સમ્રાટ બની રહ્યો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy