SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ૨ સમરું પલપલ સુવ્રત નામ અનુમતિ લઈને, સિંધુષેણ રાજાને પોતાની સાથે લઈ, ગંધમાદનપુરે પિતાજીની સેવામાં પુનઃ ઉપસ્થિત થઈ ગયો. સિંધુષેણને તેણે ચક્રવર્તીની સેવામાં મૂક્યો છે. પોતે પણ તેનું ધ્યાન રાખતો રહે છે. તેનાં મનમાં હજીયે રાજ્યભ્રંશનો ડંખ અને ખેદ હોવાનું તેના ધ્યાનમાં જ હતું. એટલે તેને તે ડંખમાંથી બહાર કાઢવા માટે તેણે તેને ધર્મના માર્ગે વાળવાનો ઉદ્યમ કરવા માંડ્યો. તેને દેરાસરે લઈ જાય; ગુરુભગવંતોના સમાગમમાં લઈ જાય, અને દેશના-શ્રવણ પણ કરાવે. આ બધાંનું સાતત્ય રહેવાથી સિંધુષેણનું હૈયું જરાજરા હળવાશ અનુભવવા લાગ્યું. એમાં એકવાર નગરમાં સુયશસૂરિ નામે જ્ઞાની અને પ્રભાવક આચાર્ય ભગવંત પધાર્યા. ચક્રવર્તી વજનાભિ, કુમા૨ વજકુંડલ, સિંધુષેણ સહિત સઘળો રાજપરિવાર તેમને વંદનાર્થે તથા ધર્મશ્રવણાર્થે ગયો. ગુરુભગવંતે ધર્મદેશનામાં સંસારની અનિત્યતા વર્ણવી, અને પ્રમાદથી બચવાનો ઉપદેશ ફરમાવ્યો. તે સાંભળતાં ચક્રવર્તી વજનાભિના હૃદયમાં વૈરાગ્ય ઉપજ્યો. તેણે વજ્રકુંડલને રાજ્ય સોંપીને પોતે સંયમ અંગીકાર કર્યો. સિંધુષેણને પણ આ દેશનાની ગાઢ અસર થઈ. મૂળે તે નિર્વિષ્ણ તો હતો જ. એમાં આ દેશના સાંભળી; અને વળી સ્વયં ચક્રવર્તીને ચારિત્ર ગ્રહણ કરતાં જોયા; એટલે તેના હૃદયમાં પણ વૈરાગ્ય પ્રગટ્યો, અને તેણે વજ્રકુંડલની અનુજ્ઞા મેળવીને ચારિત્રનો પંથ સ્વીકારી લીધો. સમ્રાટ વજનાભિ તો સંયમનું સામ્રાજ્ય મેળવીને કૃતકૃત્યા બન્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy