SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ – વજકુડલ ૯૯ - પાળ્યા વિના રહે નહિ. તે આગળ વધ્યો, પણ અવજોગ અને અપશુકન ઘણાં નડવા માંડ્યાં. પણ હવે તે બધું ગણકારવાનું પાલવે તેમ નહોતું. હવે તો આ પાર કે પેલે પાર, એ સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. માધવ એકધારો બોલે જતો હતો. વજકંડલને પણ તેની વીતકકથામાં ભારે રસ પડી ગયો હતો. એટલે તો તેણે બીજાં સઘળાં કાર્યો તે દિવસે માંડી વાળ્યાં, અને માધવની વાતોમાં જ પરોવાયેલો રહ્યો. માધવની વાત રજૂ કરવાની કળા અનોખી હતી. તો સામી બાજુએ કમારની ઉત્કંઠા પણ તીવ્ર હતી. તેણે આતુરભાવે માધવને આગળની વાત કહેવા નિર્દેશ કર્યો, ને જરા વિસામો લઈને માધવે વાત આગળ ચલાવીઃ મહારાજ! અમારી જાસૂસી જાળ પણ વ્યાપકપણે બિછાવેલી હતી. મહેન્દ્રરાજે ઠાકોરો સાથે કરેલી મંત્રણા અને પ્રતિજ્ઞાની વાત બીજે જ દિવસે અમારી પાસે આવી ગઈ. એ વાતથી અમે ઘડીભર વિમાસણમાં મૂકાયા. કારણકે જે ઠાકોરોએ આ પ્રતિજ્ઞા લીધી હતી, તે તમામ અંદરખાનેથી કુમારના ચાહક અને મળતિયા હતા, અને અમારી સાથે ખાનગીમાં તેઓ વચનબદ્ધ થયેલા કે યુદ્ધનો અવસર આવશે ત્યારે અમે સિંધુષણનો સાથ છોડીને તમારા પલ્લે જ બેસીશું. એકબાજુ એમનું આ વચન, અને બીજી બાજુ એમની આ નવી પ્રતિજ્ઞા: આ બેધારી વાતથી અમે જરાક મૂંઝાયા. પણ આનો કોઈક તોડ તો શોધવો પડે. તત્કાળ અમારા ગુપ્તચરો મારફતે અમે તે ઠાકોરોનો સંપર્ક સાધ્યો. ને તેમનું વચન યાદ દેવડાવ્યું. તો તેમણે ઉત્તર વાળ્યો:અમારું વચન આજે પણ અંકબંધ ઊભું જ છે. દિલથી તો અમે તમારી સાથે જ હોવાના. પરંતુ મહેન્દ્રરાજે જે ધર્મસંકટ સર્યું. તે પળોમાં આવી પ્રતિજ્ઞા લીધા | For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy