SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે આત્માને કેવો અને કેટલો માનીએ છીએ, એ જ વિચારવા જેવી વાત છે. હું તે શરીર નથી, શરીરથી ભિન્ન એવો આત્મા છું અને એથી મારું તો તે જ છે કે જે આત્માનું સ્વરૂપ છે તેમાં આવતું હોય'- આ વાત સુનિશ્ચિત થઈ જાય, તો એમ લાગ્યા વિના રહે જ નહિ કે “હું વર્તમાનમાં જે સ્વરૂપમાં છે તે વસ્તુતઃ મારું સ્વરૂપ નથી અને અત્યારે હું જે રીતે મને અને મારાપણાને માનીને વર્તી રહ્યો છું, તે રીતે જ્યાં સુધી માનું અને વર્તે ત્યાં સુધી હું મારા સાચા અને પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરી શકું જ નહિ.” આ વસ્તુને સમજાવવાને માટે પરમ ઉપકારી શાસ્ત્રકાર મહાપુરુષોએ આત્માની અવસ્થા-વિશેષને જોઈને ત્રણ વિભાગ દર્શાવ્યા છે. આત્મા સ્વરૂપે અનંતજ્ઞાનાદિમય હોવા છતાં વર્તમાનમાં કેવો છે? તમે જાણો છો કે દેખાવમાં સારામાં સારી, આંખને જોયા જ કરવાનું મન થાય એવી, નજરે પડે એની સાથે જ આંખ ત્યાં ચોંટી જાય એવી પણ ચીજ જ્યારે સ્વરૂપાંતરને પામે છે, વિચિત્ર આવરણોથી કદરૂપી બની જાય છે, ત્યારે તે જોવી પણ ગમતી નથી. મકાન સારામાં સારું હોય, પણ તે ઘણા વખતથી અવાવરું પડ્યું હોય તો એને જોવું ગમે છે ? નહિ. એ જ રીતે કાટ ચડી ગએલું વાસણ કે ઘણું મેલું થઈ ગયેલું વસ્ત્ર પણ આંખને જોવું ગમતું નથી. આપણને એમ થઈ જાય છે કે “આ મકાન, વાસણ અને વસ્ત્રને ઉપયોગમાં ત્યારે જ લેવાય, કે જ્યારે એના ઉપર જે આવરણો આવી ગયાં છે તે દૂર થઈ જાય.” આપણને એ વસ્તુઓનો ખપ હોય, તો એ વસ્તુઓને સ્વચ્છ બનાવવાની ભાવના પણ આપણામાં ઉત્પન્ન થયા વિના રહેતી નથી. એને સ્વચ્છ બનાવવાની ભાવના ઉત્પન્ન થાય છે એટલું જ નહિ, પણ કેટલીક વાર તો એ સ્વચ્છ ન બને ત્યાં સુધી આપણને ચેન પણ પડતું નથી. એને સ્વચ્છ બનાવવાની થાય તેટલી મહેનત કરવા-કરાવવાનું મન થયા જ કરે છે. એવી દશા આપણે આત્માના વિષયમાં ઉત્પન્ન કરવી છે. આપણે આત્મા છીએ, પણ અત્યારે આપણો આત્મા મલિન બનેલો છે, એમ તો લાગે છે ને ? આત્મા જો મલિન બનેલો ન હોત, તો આ દેહના બંધનમાં જકડાએલો શાનો હોત ? આત્મા મલિન છે, માટે તો કર્મસત્તા એને ફાવે ત્યાં અને ફાવે તેમ ધકેલી શકે છે. કર્મના આવરણોએ આત્માના મૂળભૂત સ્વભાવને દબાવી દીધો છે. આત્મા નિજ સ્વરૂપે કેવો છે ? આત્મા નિજ સ્વરૂપે અનંત દર્શનમય భకు తన వంతు తడి తడు પૂ.આ. રામચંદ્રસૂષ્ટિ સ્મૃતિગ્રંથમાળા - ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001171
Book TitleAtmani Tran Avasthao
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Kirtisurishwar
PublisherSanmarg Prakashan
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy