SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ * આપણે સર્વવિરતિ લઈ શકતા નથી તે માટે જ બાર વ્રત લીધાં છે ને ? પાંચ મહાવ્રત લઈ શકવાની શક્તિ હોવા છતાં જે બારવ્રત લેવા તૈયાર થાય તો તેને દોષ લાગે ને? મહાવ્રત લેવાનું મન નથી માટે નથી લેતા કે લઈ શકાતું નથી માટે? આજે દીક્ષા લેવાના સંયોગો નથી કે લેવાનો ઉલ્લાસ નથી ? ઉલ્લાસ શેના કારણે નથી આવતો? વીર્યાન્તરાયકર્મ બાંધ્યું છે માટે ને? વીર્યાન્તરાય શેના કારણે બંધાયેલું ? વીર્ય વાપર્યું ન હતું માટે ને? તો એ વીર્યાન્તરાય તોડવા માટે વીર્ય પરાણે પણ ફોરવવું પડશે ને ? છતી શક્તિએ જેઓ કાર્ય-ઉચિત કાર્ય-કરતા નથી તેમને વીર્યાન્તરાય બંધાય છે અને તેના કારણે નિગોદમાં જવું પડે છે, જ્યાં સૌથી અલ્પ વીર્ય મળે. નરકગતિમાં તો સંજ્ઞીપણું મળે ને સમ્યગ્દર્શન પણ મળી શકે. જ્યારે નિગોદમાં સંજ્ઞા મળે નહિ, સમ્યકત્વ લઈને જવાતું નથી, ત્યાં સામ્યત્વ મળતું પણ નથી. શું કરવું છે? * અન્યાયથી ઉપાત્ત વિત્ત જેની પાસે હોય તે જિનમંદિર બંધાવવા માટે અનધિકારી છે – આ વાત આગળ જઈને કહેવાના છે : આ તમને સાંભળવાનું ગમે? કે અન્યાયનો પૈસો પણ છેવટે વપરાય છે તો સારા કાર્યમાં જ ને ? આવી શંકા કરો? સ. ધર્મમાં નહિ વાપરીએ તો સંસારમાં જ વપરાશે. સંસારમાં વાપરવાની વાત નથી, ધર્મમાં નહિ વાપરવાની વાત છે, અહીં તમને શંકા પડે છે, પણ તમારા ઘરમાં સાપ નીકળે અને તમે કાઢી નાંખો તો તે જંગલમાં જશે તો તેના કરતાં તમારા ઘરમાં રાખી મૂકવો જોઈએ – એવી શંકા નથી પડતી ને? તેનું કારણ શું છે? અન્યાયનો પૈસો સર્પ જેવો નથી લાગતો ને? શાસ્ત્રકારો કહે છે કે અન્યાયનો પૈસો સર્ષ કરતાં પણ ભંડો છે. કારણ કે સર્પ તો કદાચ કરડે તોપણ એક જ ભવ બગાડે અને તેમાંય આયુષ્ય હોય તો બચી જવાય પણ આ અન્યાયનો પૈસો તો ભવોભવ મારનારો બને છે – શું કરવું છે ? * હેય, ઉપાદેય અને શેયનું સ્વરૂપ જેના વડે વર્ણવાય તેનું નામ આજ્ઞા. * ઉત્સર્ગમાર્ગ સાથે અપવાદમાર્ગ બતાવ્યો છે એ વાત સાચી છે, પરંતુ તે એકદમ અનિવાર્ય સંયોગોમાં આચરવાનો છે. જે પડતાં હોય તેને બચાવવા માટે અપવાદમાર્ગ છે. ભયંકર ભૂલો કર્યા પછી પણ આંખમાં આંસુ સાથે પગમાં પડી સુધરવાની તક માંગે તેવાને અયોગ્ય સમજીને કાઢી ન મુકાય. અપવાદ તરીકે તેવાને નભાવવા પણ પડે, જેથી તે બચી શકે. બચી શકવાની સંભાવના હોય તેવા માટે અપવાદ છે. બીજો કોઈ જ ઉપાય ન હોય ત્યારે અપવાદનો આશ્રય લેવાનો. બધી શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy