SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પાપનું કારણ છે જ્યારે આ કાર્યમાં તો જેટલો પૈસો વધારે વપરાય તેટલો લેખે લાગે એવો છે, અમૃતતુલ્ય બને એવો છે – ઈત્યાદિ વિચારવા દ્વારા પોતાના આશયની વૃદ્ધિ કરવી. * તેમ જ જિનમંદિરનું નિર્માણ યતના(જયણા)પૂર્વક કરવું. જયણાની વ્યાખ્યા કરતાં અહીં જણાવ્યું છે કે જેમાં મોટા દોષોનો ત્યાગ કરવામાં આવે અને નાના દોષો ટાળી શકાય એવા ન હોવાથી ચલાવી લેવામાં આવે તેનું નામ જ્યણા. પાણીની જરૂર તો પડવાની. આથી અષ્કાયના જીવોને બચાવી નહિ શકાય, આથી આ અલ્પ દોષનો તો આશ્રય લેવાનો જ છે. તે વખતે અપ્લાયને આશ્રયીને રહેલા ત્રસજીવો(વિકલેન્દ્રિય જીવો)ને બચાવવા માટે પાણી ગાળીને વાપરવું. શુદ્ધ દલનું ગ્રહણ કરવું, એટલે પથ્થર તેમ જ ઇંટો વગેરે પૂંછને મૂકવા તેનું નામ જણા. આ રીતે જિનમંદિર બંધાવતી વખતે અલ્પદોષનો આશ્રય કરવો પડે છે. આથી સાધુભગવન્તો જિનમંદિર બંધાવવાનો મનોરથ પણ ન રાખે, માત્ર ઉપદેશ કરે. જ્યારે શ્રાવક સર્વ સાવધયોગથી વિરામ પામ્યો ન હોવાથી તે આ જિનમંદિર બંધાવવાના મનોરથ રાખવા પૂર્વક જિનમંદિર બનાવવાનો પ્રયત્ન કરે. * હિંસા થવા છતાં પાપ ન લાગવા દે એવી આ જયણા છે અને હિંસા ન થવા છતાં પાપ લગાડે એવો જયણાનો અભાવ છે. પાપની હાજરીમાં પાપમુક્ત બનાવવાનું કામ જયણા કરે છે. આ જયણા વિના નિષ્પાપ જીવન જીવવા છતાં પાપ લાગ્યા કરે છે. આથી સર્વ પ્રશસ્ત યોગોમાં પ્રયત્નપૂર્વક અર્થાત્ ચીવટ રાખીને જયણા કરવી જોઈએ. જેમ પ્રવૃત્તિ વધારે હોય તેમ ઉપેક્ષા વધતી જાય અને ઉપેક્ષા આવે એટલે જયણા સચવાય નહિ. તેથી જયણા સાચવવા માટે પ્રવૃત્તિ ઘટાડવી જરૂરી છે. જયણા એ ધર્મની જનની છે. તેમ જ ધર્મનું પાલન કરનારી અને વૃદ્ધિ કરનારી હોવાથી એકાન્ત સુખને કરનારી જયણા છે. આપણો ધર્મ જયણા વિનાનો હોય તો માનવું પડે ને કે તે ધર્મ જ નથી ! મા વગર દીકરી જન્મે ? *'રૂદ મૂચાવીનિ... અહીં સત્તરમી ગાથામાં શુદ્ધ ભૂમિ, શુદ્ધ દલ વગેરે જિન ભવનની વિધિ છે એમ જણાવ્યું છે. પરંતુ ભૂમિશુદ્ધિ વગેરે જિનભવનની વિધિનાં અંગરૂપ છે, વિધિરૂપ નથી તો તેને વિધિરૂપ કેમ કહ્યા-આવી શંકાના નિરાકરણમાં જણાવે છે કે અંગ અને અંગીને કથંચિ અભેદ હોવાથી અભેદના ઉપચારથી જ “શુદ્ધ ભૂમિ એ જિનભવનવિધિ છે એ પ્રમાણે સામાનાધિકરણ્યન અર્થાત્ એકાWવાચકન્ટેન જણાવ્યું. 7 . શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy