SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ કરવી, મનથી ધ્યાન ધરવું અને તેમના શરણે જવું એ જ તેમની આરાધનાનો ઉપાય છે. કર્મરૂપી શત્રુથી બચાવનાર આ જ એક પરમાત્મા હોવાથી તેમના શરણે જવું. કુદેવને દેવની બુદ્ધિએ માનવા નહિ. સુવર્ણના મૂલ્યથી પિત્તળને ગ્રહણ ન કરશો - એમ ગ્રંથકારશ્રી આ શ્લોકના ઉત્તરાર્ધથી જણાવે છે. સ. શરણે જવું એટલે શું? રોગી જેમ ડોક્ટરના શરણે જાય, ધનાર્થી નોકર જેમ શેઠના શરણે જાય અને ભયભીત થયેલો રખેવાળના શરણે જેમ જાય તેમ ભવથી ભય પામેલા, ભગવાન અને ભગવાનની આજ્ઞામાં રહેનારને શરણે જાય. * સંસારના સુખની ઈચ્છાથી કરાતો ધર્મ એ અધર્મ છે, છતાં તે ધર્મજેવો દેખાય છે માટે એવાને ધર્મ માનીને ગ્રહણ ન કરવું - કારણ કે એ તો સોનાના મૂલ્ય પિત્તળ ખરીધું કહેવાય. ધર્મ સાંભળવા છતાં સંસારસુખની ઈચ્છા જે દિવસે મંદ ન થાય તે દિવસે આપણે પિત્તળ લઈને ઘરે ગયા - એમ સમજવું. * જે ભગવાને દેવસંબંધી, તિર્યંચસંબંધી અને મનુષ્ય સંબંધી બધા જ ઉપસર્ગો વેઠી લીધા હતા તે ભગવાનના શરણે જે જાય તેને દુઃખ દુઃખરૂપ ન લાગે. આપણે ભગવાનના શરણે છીએ તેનું માપદંડ જ આ છે કે ગમે તેવું દુઃખ પણ દુ:ખરૂપ ન લાગે. તમે ભક્તિગીતમાં ગાઓ ને કે “તારા શરણે આવવામાં એક મોટું સુખ, દુઃખના ડુંગર તૂટી પડે તોય જરી ન લાગે દુઃખ.” દુઃખ વેઠી લેવામાં જ ભગવાનની ભક્તિ સમાઈ છે. દુઃખ મજેથી વેઠી લેવા માટે ભગવાનનું શરણું લેવાનું છે. સ. ભગવાનનું શરણું લેવું એટલે શું? ભગવાન કહે એ પ્રમાણે કરી લેવું. ભગવાન કહે કે દુઃખ વેઠી લેવાનું તો વેઠી લેવાનું. ભગવાન કહે કે સુખ છોડી દેવાનું તો છોડી દેવાનું. આજે આપણી તો એ હાલત છે કે શરણું ભગવાનનું અને સિદ્ધાન્ત આપણા ! ભગવાનના શરણે રહેવાનું અને માનવાનું મોહનું-આ ચાલે ? ભગવાનના શરણે જવું હશે તો ભગવાનનું માનતા થવું છે, દુઃખ વેઠતા થવું છે. દુઃખથી અકળાય તે જૈન ન હોય. * આપણા દેરાસરનું સમારકામ આપણે આપણા પૈસે કરવું છે, કારણ કે આપણી પાસે એટલી સ્થિતિ છે. આપણા દેરાસરની ઊપજનો ઉપયોગ અન્યદેરાસરોમાંજ્યાં જરૂર હોય ત્યાં – જીર્ણોદ્ધારમાં કરી લેવો. સુખી - સ્થિતિસંપન્ન આરાધકો શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy