SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ * અરિહન્ત પરમાત્મામાં પ્રકારાન્તરે અઢાર દોષનો અભાવ જણાવ્યો છે. ૧. દાનાન્તરાય, ૨. લાભાન્તરાય, ૩. ભોગાન્તરાય, ૪. ઉપભોગાન્તરાય, ૫. વીર્યાન્તરાય, ૬. હાસ્ય, ૭. રતિ, ૮. અરતિ, ૯, ભય, ૧૦. શોક, ૧૧. જુગુપ્સા, ૧૨. કામ, ૧૩, મિથ્યાત્વ, ૧૪. અજ્ઞાન, ૧૫. નિદ્રા, ૧૬. અવિરતિ, ૧૭. રાગ, ૧૮ ષ. * આ રીતે સકલ દોષથી રહિત અને સકલગુણના નિધાન એવા અરિહન્તપરમાત્મા છે : આ પ્રમાણેના નિરૂપણ દ્વારા તેમનું સ્વરૂપ જણાવ્યું. કોઈ પણ વસ્તુની વ્યાખ્યા ત્રણ પ્રકારે કરાય છે – તત્ત્વથી, ભેદથી અને પર્યાયથી. તત્ત્વ એટલે સ્વરૂપ, ભેદ એટલે પ્રકાર અને પર્યાય એટલે સમાનાર્થક શબ્દોથી જણાવાતો અર્થ. સ્વરૂપ જણાવાઈ ગયું અને પરમાત્મા દરેક એક જ પ્રકારના છે. તેમના કોઈ પ્રકાર નથી. આથી હવે ૧૧ મી ગાથાથી પર્યાયવાચક નામ જણાવે છે. આપણને આ નામોમાં રસ પડે ખરો ? આપણે તો અરિહન્ત કરતાં પણ અર્થને (પૈસાને) જ મહાન માનીએ છીએ ને? સંસાર પ્રત્યે બહુમાન જ્યાં સુધી હશે ત્યાં સુધી દેવગુરુધર્મ પ્રત્યે આદર નહિ જાગે. આપણે સંસારમાં બેઠા છીએ માટે પૈસા કમાઈએ છીએ કે સંસાર પ્રત્યે રાગ છે માટે ? દેવગુરુધર્મ ગમે તેટલા ઊંચા હોય તોપણ આપણા અર્થકામ આગળ એ હઠ છે ને? પર્યાયવાચી નામોથી નિરૂપણ કરવાના કારણે પદાર્થનું વિસ્તારથી અને સ્પષ્ટ જ્ઞાન થાય છે. ત્રણ પર્યાયવાચી નામો છે : અરિહંત, અહંન્ અને અહન્. આ ત્રણે નામો માત્ર રૂઢ નામો નથી, અન્યર્થ નામો છે. આઠેય પ્રકારનાં કર્મ સર્વ જીવોનાં શત્રુભૂત છે. તે કર્મરૂપી અરિ-શત્રુને હણનારા હોવાથી તેઓ અરિહન્ત કહેવાય છે. આઠ પ્રકારનાં કર્મો આપણને શત્રુરૂપ લાગે છે? પુણ્યપ્રકૃતિ ગમી જાય ને ? આગળ વધીને અવિરતિ પણ ગમે ને ? આજે ક્રોધાદિને સફળ કરવા કે અવિરતિજન્ય સુખો ભોગવવા માટે બધું જ કરવાની તૈયારી છે ને ? જરૂર પડે તો શરીરની પણ મમતા ઉતારીને એ સુખ ભોગવીએ ને? * હાથની પાંચ આંગળીમાંથી કઈ આંગળી ન હોય તો ચાલે ? ત્યાં જેમ પાંચે આંગળી પ્રમાણ ગણાય છે તેમ અહીં જ્ઞાનમાર્ગમાં મૂળ આગમ, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા : આ પાંચે અંગ પ્રમાણ છે. જેઓ પંચાંગીને પ્રમાણ ન માને અને એકલા મૂળ આગમના અર્થને પ્રમાણ માનતા હોય તેઓની વાત અપ્રમાણ છે એમ સમજી લેવું. જેઓ હરિભદ્રસૂરિ મહારાજ કે હેમચન્દ્રસૂરિ મહારાજની વાતને પ્રમાણ ન માનતા હોય અને માત્ર આગમને જ પ્રમાણ માનવાનું કહેતા હોય તેઓને કહેવું કે – ‘તમારાથી આગમને પણ નહિ મનાય, માત્ર ત્રિપદીને જ પ્રમાણ માનવી. કારણ કે શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy