SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તેના પ્રતિપક્ષનું સેવન કરવું. ક્ષમા, મૃદુતા, સરળતા અને નિસ્પૃહતાના પરિશીલનથી તેમને ટાળી શકાશે. સુખ પ્રત્યે નફરત જાગે અને દુ:ખ પ્રત્યે પ્રેમ કેળવીએ તો રતિઅરતિ જીતી શકાય. આમે ય પારકાના સુખ ઉપર નફરત છે અને પોતાના દુઃખ પર પણ પ્રેમ કેળવી લઈએ છીએ ખરા, પણ તે આપણી ઈચ્છાની ખાતર ! ભગવાનના વચન ખાતર નહિ ? આથી જ આપણા દોષો હલતા નથી. * જે તીર્થંકર પરમાત્માએ સાધના કરતી વખતે ઈન્દ્રાદિદેવોની સહાય ન લીધી એવા તીર્થંકર પરમાત્માના અનુયાયી થઈને આપણે ઈન્દ્રાદિદેવોની સહાય ઈચ્છીએ એ કેવી રીતે ચાલે ? કેવળજ્ઞાન પામવાનો ઈરાદો ન હોય ત્યારે જ ઈન્દ્રાદિદેવોની કે અન્ય દેવોની સહાય લેવા તૈયાર થાય. દુઃખ ટળતું હોય તો ગમે તેની સહાય લેવા આપણે તૈયાર ને ? સ. ડૉક્ટર પાસે દુઃખ ટળે છે માટે જઈએ ને ? ડૉક્ટર પાસે જ્યારે જાવ છો ત્યારે ધર્મ માનીને નથી જતા, પોતે અસહિષ્ણુ છે સહન નથી થતું માટે જાય છે, ડૉક્ટરને દેવ માનીને નથી જતા ને ? ઈન્દ્રાદિ દેવો પાસે જ્યારે જાવ ત્યારે ધર્મ કરવામાં સહાય કરે એમ માનીને જાઓ છો ને ? * ભગવાન જે આપે છે તે (કેવળજ્ઞાન) આપણને જોઈતું નથી માટે ભગવાનને આપણે દેવ માનતા નથી, અન્ય દેવો આપણને જે (ધનાદિ) જોઈએ છે એ આપે છે માટે તેઓને દેવ તરીકે સ્વીકારી લઈએ છીએ. * અરિહંત પરમાત્માને જ દેવ તરીકે માનવા હોય એવા લોકોને દુનિયામાં અરિહંત પરમાત્માને છોડીને બીજા દેવ નથી – એટલું પહેલાં માનવું પડે એવું છે. * “આપણા ભગવાન જ ભગવાન છે બીજા દેવ ભગવાન નથી' - આવું બોલીએ તો માઠું લાગે અને “આપણા ભગવાન પણ ભગવાન છે” આવું બોલીએ તો ગમે તો સમજવું કે – આપણે ભગવાનના શાસનમાં આવ્યા નથી. * આપણે જે માનીએ છીએ તે ખોટું છે એવું કોઈ કહે તો આપણે કહેનારને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ કે આપણી ખોટી માન્યતાને દૂર કરવા પ્રયત્ન કરીએ? * જેને જોઈએ એનું મોટું પડેલું હોય, જેને જોઈતું જ નથી તેનું મોટું પ્રસન્ન હોય. આયંબિલની પંગતમાં બેઠેલાને ભજિયાં ન આવે તો કોઈ દુઃખ ન થાય, પણ એકાસણાંની પંગતમાં બેઠેલાને દુઃખ થાય ને ? શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy