SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ટકા જશ લીધો તોપણ તેમનું સમ્યક્ત્વ ગયું ને ? આપણને તો સો ટકા જશ જોઇએ છે ને ? સ્તવન-સજ્ઝાય મહાપુરુષના ગાઈએ, મહાપુરુષનાં બનાવેલાં ગાઈએ છતાં તેનો જશ આપણને મળે એમાં આપણે રાજી ને ? ૦૪ * બીજાના ગુણો પણ ખમાતા નથી તો દોષો તો કઈ રીતે ખમી શકાશે ? જિંદગી સુધી આ કાર્ય કરવા છતાં પસ્તાવો પણ ન થાય તો શી દશા થાય ? પરગુણની અસહિષ્ણુતા બીજાને યશ આપવા દેતી જ નથી. નથી એના કારણે સ્વાર્થ કે પરમાર્થને આપણે ઓળખી શક્યા. આવું માત્સર્ય કેળવીને જવું છે ક્યાં ? ઘરમાં પણ આપણાથી ચઢિયાતું પુણ્ય કોઈનું હોય તો તેને સારું માનતાં શીખી જવું છે. ઔદિયકભાવના ગુણો હોય કે ક્ષયોપશમભાવના ગુણો હોય : એકે ગુણ ઈર્ષ્યાને પાત્ર નથી. આપણા કરતાં નાની ઉંમરના કે ઓછા પર્યાયવાળા સારું ભણેલા હોય કે પુણ્યશાળી હોય તો તેવાને ‘ભણેલા છે પણ મારાથી નાના છે' એમ કહીને માત્સર્ય વ્યક્ત નથી કરવું. આ દુર્ગતિમાં જવાનો ધંધો વહેલીતકે માંડી વાળવો છે. રોજ ભગવાનને વિનંતિ કરો કે બીજાના ગુણને સહન કરવાની વૃત્તિ લાવી આપો. ઈર્ષ્યા, ભય, ચોરી, મૈથુન વગેરે જે જે દોષો નડતા હોય તે માટે ભગવાનને કહેવું કે ‘તમે તો દૂર કર્યા, મારા કાઢી આપો'. શ્રી નમુન્થુણં સૂત્રમાં જિણાણું બોલ્યા પછી જાવયાણં બોલતાં આનંદ આવે ને ? ભગવાનની જરૂર દોષો છુપાવવા માટે છે કે દોષો કાઢવા માટે ? આજે થોડોઘણો ધર્મ કરીએ છીએ તે દોષો ઢાંકવા માટે જ છે ને ? ભગવાનને કહો કે આ બધા મારી પાછળ પડયા છે તો ? दूर ન કરી આપો ? ભગવાનનું વચન માનીએ તો કોઈ દોષની તાકાત છે કે આપણને હેરાન કરી શકે ? જેને સુખ જોઈતું નથી અને દુ:ખને આવકારવાની તૈયારી છે તેના પર એક પણ દોષનો પડછાયો પડી શકે એમ નથી. અનુકૂળતા ભોગવવી છે અને પ્રતિકૂળતા ટાળવી છે માટે બધા દોષો પાછળ પડયા છે ને તેમને ફાવટ પણ આવી ગઈ છે ! કોઈના પુણ્યથી કોઈને વધારે મળતું હોય તો આપણે પાપ કરીને તે પડાવવું નથી. ઔદયિકભાવના ગુણોમાં પણ આ હાલત હોય તો ક્ષયોપશમભાવના ગુણો કઈ રીતે ખમાશે ? ૧૪. ભય: * ચૌદમો દોષ ભય છે. ભય સાત પ્રકારના છે. ૧. માણસને માણસનો ભય હોય તે પહેલો આલોકભય. ૨. મનુષ્યને સિંહ વગેરે તિર્યંચનો ભય તે પરલોકભય. ભય રાખવાના કારણે દુઃખ જતું નથી. તેથી ભય કરીને ભયમોહનીયકર્મ બાંધવું નથી. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only ૬૫ www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy