SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ ભગવાને ઈષ્ટને અનિષ્ટ માનીને શોક ટાળ્યો, આપણે ઈષ્ટ મેળવીને શોક ટાળવા પ્રયત્ન કરીએ છીએ. ભગવાનનો માર્ગ સહેલો છે. જેને ઈષ્ટ માની લીધું છે એ ઈષ્ટ જ નથી – એવું માની લઈએ તો શોક ટળે ને? ૧૧. અલીકવચન અગિયારમો દોષ અલીકવચન છે. અલીક એટલે જૂઠું. હકીક્તનો અપલાપ કરવો તે જૂઠું. ગુરુભગવન્ત વગેરે આપણા દોષ બતાવે ત્યારે “એવું નથી' એ પ્રમાણે કહેવું, કરવું ન હોવા છતાં ‘થતું નથી' એમ કહેવું તે અલીકવચન. અત્યાર સુધી આવા જુઠાણાના કારણે જ આપણે સંસારમાં રખડીએ છીએ. આપણે જેવા છીએ તેવી સાચી કબૂલાત કરતાં આવડે તો આજે આપણે દોષરહિત બનવાના માર્ગે વળી શકીએ. ભગવાનમાં આ દોષ ન હોવાથી જ ભગવાન પરમપદે પહોંચી ગયા. આ અલીકવચન ચાર પ્રકારનું છે. તેમાં પહેલો પ્રકાર છે ૧. ભૂતનિહનવ :- ભૂત એટલે સદ્ભત. જે થયું છે અથવા જે છે તેનો અમલાપ કરવો, હોય તેને છુપાવવું તે ભૂતનિકૂવ. આત્મા છે છતાં આત્મા નથી એમ માનવું, બોલવું-તે ભૂતનિનવ. * પરમાત્માનું સ્વરૂપ અને આપણું સ્વરૂપ વિચારીએ તો એવું લાગ્યા વિના ન રહે કે - દુનિયાનો એક પણ દોષ ભગવાનમાં નથી અને દુનિયાનો એક પણ દોષ એવો નહિ હોય કે જે આપણામાં ન હોય. * ગૌતમસ્વામી મહારાજા જ્યારે ભગવાનને જીતવા આવ્યા ત્યારે ભગવાનના દર્શન થતાંની સાથે વિચારવા લાગ્યા કે “આ ઈન્દ્ર છે કે ચંદ્ર છે... ?' અને અંતે તેમને યાદ આવ્યું કે વેદમાં કહ્યું છે કે સકલદોષથી રહિત અને સકલ ગુણના નિધાન એવા તીર્થંકર પરમાત્મા થવાના છે. દેવનું સ્વરૂપ સમજવું હોય તો આટલાથી સમજાઈ જાય ને? ગૌતમસ્વામી મહારાજે એ સ્વરૂપની પ્રતીતિ થતાંની સાથે જ રત્નત્રયી પ્રાપ્ત કરી ને ? સ. ગૌતમસ્વામી મહારાજા અહંકાર લઈને આવ્યા છતાં તેમનું ઠેકાણું પડી ગયું અને અમે અહંકાર વિના આવીએ છતાં ઠેકાણું કેમ નથી પડતું ? આપણે અહંકાર વિના ભલે આવીએ પણ અર્થીપણું સાથે લઈને નથી આવતા માટે ઠેકાણું નથી પડતું. ગૌતમસ્વામી મહારાજ પાસે તો અહંકારની સાથે અર્થીપણું હતું. આપણી પાસે મોક્ષનું અર્થીપણું નથી ને ? શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy