SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ થતો નથી. આથી આવો મદ કરવાની મૂર્ખાઈ નથી કરવી. રૂપનો મદ સનત્કુમાર ચક્રવર્તીએ કર્યો હતો, કુળનો મદ મરીચિએ કર્યો હતો, જ્ઞાનનો મદ શ્રી સ્થૂલભદ્રમહારાજે કર્યો હતો અને તપનો મદ ચારમાસી તપ કરનાર ચાર શ્રમણોએ કર્યો હતો. એ મદના કારણે તે બધાને કોઈ જ લાભ ન થયો ઊલટું તે ગુણની હીનતા થઈ. ૪. માનઃ * મદ પછી ચોથો માનદોષ બતાવ્યો છે. દુષ્ટનો અભિનિવેશ તેનું નામ માન. સારાખોટાનું જ્ઞાન થયા પછી પણ દુષ્ટનો ત્યાગ ન કરવા દે અને સાચાનો સ્વીકાર ન કરવા દે એવા અભિનિવેશને માન કહેવાય છે. આપણી વાત ખોટી છે એ સમજાયા પછી પણ મૂકવી નહિ અને બીજાની વાત સાચી છે એવું સમજાયા પછી પણ સ્વીકારવી નહિ તે માન. આપણું છોડી ન શકીએ અને સામાનું માની ન શકીએ એ માનનો પ્રભાવ છે. આવા માનીને જ્ઞાન ન મળે. આપણને જ્ઞાન મળે તો સારું કે આપણું માન જળવાય તો સારું ? * માન બે પ્રકારનું છે : બાહ્ય અને અભ્યન્તર. સત્કાર કરવો તે બાહ્ય માન અને સન્માન કરવું તે અભ્યન્તર માન. બાહ્ય પરિચર્યા કરવી તે બાહ્ય માન અને અભ્યન્તર પ્રીતિ રાખવી તે અભ્યન્તર માન. આપણને બંન્ને પ્રકારનાં માન ગમે ને ? બાહ્ય ભક્તિ કરે એવી પણ અપેક્ષા હોય અને અંતરથી આપણી પ્રત્યે પ્રીતિ રાખે : એવી પણ અપેક્ષા હોય ને ? આથી માન દૂર કરવા માટે પહેલાં અપેક્ષા ટાળવી પડશે. તેથી માન પછી લોભદોષ ટાળવાનું બતાવ્યું છે. * રોજ સવારે ઊઠતાંની સાથે અઢાર દોષ અને અઢાર પાપ યાદ આવે તો થાય કે આવું જીવન ક્યાં સુધી જીવવું છે ? હવે વહેલી તકે પાપરહિત અને દોષરહિત જીવન જીવતા થઈ જવું છે. ૫. લોભ: * માન પછી લોભ બતાવ્યો છે. કારણ કે આપણું બધા માને એવી અપેક્ષામાંથી માન જન્મતું હોય છે. જે અપેક્ષા ટાળી શકે તેને માન ન નડે. લોભનું પાપ એવું છે કે તે લગભગ ભૂંડું લાગતું નથી. સારી વસ્તુ તો સૌને ગમે-એવો બચાવ કરીએ ને ? સારી એટલે અનુકૂળ. અનુકૂળ પડે એવી વસ્તુ બધાને ગમે ને ? આ રીતે લોભનો બચાવ કરવાની ટેવ પડી છે. પરંતુ એટલું યાદ રાખવું કે સારી વસ્તુ જેને ગમે તે સારા માણસ ન કહેવાય. જરૂરિયાત પૂરી કરવાનો લોભ હોય ત્યાં સુધી વાંધો નહિ પણ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy