SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રામાણિક માણસો પોતાની શક્તિ હોય ત્યાં સુધી બીજાની રક્ષા કરે. - * શ્રેણિતપ ગુણશ્રેણિ ચઢવા માટે કરવાનો છે. તેની છ બારી છઠ્ઠા ગુણઠાણે જવા માટે છે. ક્રોધનું પહેલું ચિહ્ન આહારત્યાગ છે. તેમ જેને કર્મો પ્રત્યે, પાપ પ્રત્યે નફરત જાગે તેનામાં આ તપનું – આહારત્યાગનું ચિહ્ન દેખાયા વિના ન રહે. આહારસંજ્ઞા તોડવી છે, અવિરતિનો આનંદ નથી માણવો. આહારત્યાગ અને કષાયત્યાગ રૂપ વિરતિનો આનંદ માણવો છે એ માટે તપ કરવાનો છે. તપ કરવો એટલે ફળપ્રાપ્તિ માટે ઉત્કટ પુરુષાર્થ કરવો. શ્રેણિતપનું ફળ છઠ્ઠા ગુણઠાણાની પ્રાપ્તિ છે. આસો મહિને પારણું કરી કારતક મહિને દીક્ષા લેવી છે. તપનું ઉજમણું કરવું એટલે સંસારનું ઉઠમણું કરવું : આ જ એક હેતુથી તપ કરવો છે, બીજા કોઈ વિપરીત કે મલિન આશયથી તપ નથી કરવો. નહિ તો આટલું બધું કષ્ટ પણ એળે જશે. આજે તમારી-અમારી તકલીફ એ છે કે સમ્યક્ત્વ પામવાનો જેટલો અધ્યવસાય છે તેટલો મિથ્યાત્વને કાઢવાનો નથી. સમ્યક્ત્વ પામવું છે, પણ મિથ્યાત્વ કાઢવું નથી – ખરું ને ? * શાસ્ત્રકારો કહે છે કે પુણ્યથી સમ્યક્ત્વ મળે : આવું સાંભળ્યા પછી પુણ્યથી આપણે શું સમજીએ ? સ. જેનાથી સુખ મળે તે પુણ્ય. શાસ્ત્રકારોએ એવો અર્થ નથી કર્યો. સમ્યક્ત્વ ક્ષયોપશમભાવનું છે. એ ક્ષયોપશમભાવ જે પુણ્યપ્રકૃતિ ઉદ્દયમાં વર્તતી હોય ત્યારે મળે તેને અહીં આવશ્યક તરીકે જણાવી છે. અહીં પુણ્યપ્રકૃતિ તરીકે પંચેન્દ્રિયજાતિનામકર્મ, ત્રસનામકર્મ, બાદરનામકર્મ, પર્યાપ્તનામકર્મ વગેરેનું ગ્રહણ કર્યું છે. આપણે તો પુણ્યપ્રકૃતિ તરીકે કોને ગણીએ ? શાતાવેદનીય, યશનામકર્મ, આદ્રેયનામકર્મ, પરાઘાતનામકર્મ, સૌભાગ્યનામકર્મ આ બધી જ પ્રકૃતિ યાદ આવે ને ? સ. ‘આદિ’ પદથી લઈ શકાય ને ? ‘આદિ’ પદથી પણ તત્સમ (સદશ-સરખું) જે હોય તેનું ગ્રહણ થાય, વિરોધીનું નહિ. પંચેન્દ્રિયપણા વિના કે ત્રસપણા વિના સમ્યક્ત્વ નથી મળતું, જ્યારે શાતાવેદનીયના ઉદય વિના પણ સમ્યક્ત્વ મળે છે તો તેનું ગ્રહણ કઈ રીતે કરાય ? જેના વિના સમ્યક્ત્વ ન મળે એવી પુણ્યપ્રકૃતિનું ‘આદિ’ થી ગ્રહણ કરવું. શાતાના શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy