SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છા પણ જે આવી દેશના સાંભળવાથી થાય તો તરત જ મન કહી દે કે – “આ બધું સુખ છોડી દેવું પડશે, તેથી ઉતાવળ કરવા જેવી નથી, આ બધું છોડવાનું સામર્થ્ય આપણું નથી, જે ચાલે છે તે બરાબર છે, કાંઈ દીક્ષા લેવી નથી.” અમારે ત્યાં પણ જેમ જેમ પુણ્ય વધવા માંડે તેમ તેમ સુખશીલતા વધવા માંડે, ભક્તવર્ગ વધે, શિષ્યવર્ગ વધે એટલે પાંચ મહાવ્રતો ડૂબવા માંડે ! જેને પુણ્ય ગમે તેને મોક્ષ ન ગમે, જેને સાધુપણું ગમે તેને મોક્ષ ગમ્યો છે – એમ કહેવાય. પુષ્યથી મળતાં સુખો પણ કર્મજન્ય છે અને પાપથી આવતું દુઃખ પણ કર્મજન્ય છે. તેથી જ્ઞાની પુણ્ય અને પાપમાં, સુખ અને દુઃખમાં કોઈ વિશેષતા જોતો નથી. કર્મરૂપ હોવાના કારણે પુણ્ય પણ હેય છે. સ. જૈનપ્રવચનમાં રામચંદ્રસૂ મહારાજે પુણ્યાનુબંધી પુણ્યને ઉપાદેય કહ્યું છે. સાહેબે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય કહ્યું છે એટલું યાદ રહ્યું પણ સાહેબે આઠમા વર્ષે દીક્ષા લેવાનું કહ્યું છે – એ યાદ નથી ને? આઠમા વર્ષે દીક્ષા લેવાની વાત સાહેબે કરી છે કે નહિ ? તમને આ પુસ્તકો પણ જાતે વાંચવા આપી શકાય એવું નથી. રોગી માટે દવા ઉપાદેય હોય એનો અર્થ એવો કરાય કે-દવા ઉપાદેય છે માટે રોગી થવું? શ્રાવક માટે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય કહ્યું છે તે તેનાથી સાધુ બની શકાતું નથી અને સાધુપણાની સામગ્રી તેને જોઈએ છે માટે કહ્યું છે. સાધુ થવા માટે તેને ઉપાદેય કહ્યું છે, પરણવા માટે પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતા નથી વર્ણવી. સુરસુંદરીએ પુણ્યથી મનગમતો પતિ મળે છે – એમ કહ્યું હતું અને મયણાસુંદરીએ પુણ્યથી સદ્ગુરુભગવન્તોનો યોગ મળે છે એમ કહ્યું હતું. વાત તો બંન્નેની સાચી હતી છતાં સુરસુંદરીને શાસ્ત્રકારોએ મિથ્યાત્વી કહી તેનું કારણ શું? વાત સાચી હોવા છતાં આશય ભંડો હતો-એ જ ને? તે જ રીતે પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતા મોક્ષસાધક સામગ્રી પામવા પૂરતી હોવા છતાં તેને વિરાગ-ભાવે' સુખ ભોગવવા માટે ઉપાદેય માનવું-આ આશય ભૂંડો છે ને ? સ. પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષની સામગ્રી આપી સહાય કરે છે, માટે જ ઉપાદેય માનીએ છીએ. એ સામગ્રી તો તમને મળી ગઈ છે. મનુષ્યપણું, આર્યદેશ-જાતિ, જૈન કુળ, પંચેન્દ્રિયપૂર્ણતા, સદ્ગરનો યોગ.... આ બધું મળવા છતાં હવે પુણ્યને ઉપાદેય કહેતા હો તો તે કયું પુણ્ય સમજવું? સામગ્રી પુણ્યથી મળે પણ સામગ્રીનો ઉપયોગ કરવાનું મન પુણ્ય ન આપે, એ આપણા પુરુષાર્થથી જ શક્ય છે. સારામાં સારી ધમધોકાર દુકાન ભરબજારમાં આપી હોવા છતાં ત્યાં બેઠો ઝોકાં ખાય તો કમાણી થાય? સાહેબજેવા ૨૮૦ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy