SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વેષી પણ ધર્મ કર્યા વિના નહિ રહેવાના, પરંતુ દુઃખ પ્રત્યે પ્રેમ કેળવાય અને સુખ પ્રત્યે નફરત જાગે પછી ધર્મ કરીએ તો સમજવું કે આપણો ધર્મ માર્ગસ્થ બન્યો. આથી જ શ્રી જયવીયરાયસૂત્રમાં મગ્ગાણુસારિયા માંગી છે, ધમ્માણુસારિયા નહિ. ધર્મ તો અભવ્ય પણ કરે પરંતુ તેનામાં માર્ગાનુસારિતા ન હોય. પહેલા ગુણઠાણાની માર્ગાનુસારિતા સારી પણ પહેલાનો ચારિત્રધર્મ સારો નહિ. * માર્ગ જે એક હોય તો એકતા થયેલી જ છે, એકતા હણાવાની નથી એના બદલે એકતાના નામે આજે માર્ગનો ભેદ કરવાની પ્રવૃત્તિ ચાલતી હોય તો તે કેટલી વિચિત્ર અને વિષમ પરિસ્થિતિ કહેવાય ? આપણી સાથે કોણ છે – એ નથી જોવું, આપણે ભગવાનની સાથે છીએ કે નહિ તે જોઈ લેવું છે. આપણી સાથે કોણ છે તે વરસોથી જોતા આવ્યા છીએ, પણ આપણે કોની સાથે છીએ – એ વિચારવાનો વખત હવે આવી ગયો છે. નાનું છોકરું ગમે ત્યાં જુએ, ગમે ત્યાં ચાલે, પણ માનો છેડો ન મૂકે. તેમ આપણે ભગવાન સાથેનો છેડો ફાટે નહિ એ રીતે જીવવું છે. આવ્યા હતા ભગવાનનું મોટું જોઈએ અને જીવવા માંડીએ લોકોનું મોટું જોઈને – એ કાંઈ ચાલે ? જેમ ભગત વધે એમ ગુણ ઘટે – એવી જ હાલત છે ને ? ભગવાનનું શાસન આપણી પાસે હોય અને ભગવાનની કૃપા આપણી પાસે હોય તો આપણે કોઈની પાછળ જવાની જરૂર નથી. જે લોકસંજ્ઞામાં તણાય તે લોક હોય, લોકોત્તર પુરુષ નહિ. ધર્મને સારો માનવાની વાત લોક કરે, જ્યારે લોકોત્તર આત્માઓ માર્ગાનુસારી ધર્મને જ સારો માને. લોકના હૈયે વસે તે ધર્મ. લોકોત્તર પુરુષોના હૈયે વસે તેનું નામ માર્ગ. ઊંચામાં ઊંચું સાધન મળ્યા પછી પણ જે આરાધ્યા વિના જઈએ તો આપણા જેવા બેવકૂફ બીજા કોઈ નથી. આજે ધર્મ કરવા પહેલાં ધર્મ સમજવાની જરૂર છે. ધર્મ કરવાનું ફરજિયાત નથી, ધર્મ સમજવાનું ફરજિયાત છે. * અવિરતિધર, સાધુ માટે બિલાડી જેવા છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. આપણી પાસે દૂધ હોય તો બિલાડીને પાસે આવવા દઈએ ? નહિ ને ? તેમ આપણી પાસે જે વિરતિ છે તેને કોઈ હરી ન જાય તેની ચિંતા કરવી પડે ને ? * પરિવાર એટલે સાધુ-સાધ્વી, ભક્તજન વગેરે, તેમના માટે તેમ જ વસ્ત્રપાત્રસત્કાર દ્વારા પોતાની પૂજા થયા કરે તે માટે અને પાર્શ્વસ્થ, અવસન્ન વગેરેને અનુસરવાની ઈચ્છાવાળા અર્થાત્ પાસસ્થાદિના ચિત્તના આવર્જન માટે જે વિશુદ્ધ માર્ગને ગોપવે છે તે દુર્લભબોધિ બને છે. જે પોતે શુદ્ધ માર્ગનો જાણકાર હોય પરંતુ પોતાનો પરિવાર શિથિલ હોવાથી શુદ્ધ દેશનાથી તે વિમુખ બનશે એવા ભયથી, તેમ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૨૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy