SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ સ. પર્યાવરણના કારણે ઘણા જીવો બચી જાય ! જીવની રક્ષા ભગવાનના વચનના પાલનથી થાય છે, પ્રવૃત્તિથી નહિ. દુઃખીનાં દુઃખ દૂર કરવા તે રક્ષા નથી. કોઈને પણ દુ:ખ ન આપવું અને દુ:ખીને દુ:ખ દુઃખ ન લાગે તેવું કરવું તે રક્ષા. સ. સૂક્ષ્મ હિંસા અને સ્થૂલ હિંસાનો ભેદ પડે ને ? એ ભેદ પણ ગુણઠાણાના છે, પ્રવૃત્તિના નહિ. ચક્રવર્તીના આરંભસમારંભમાં પણ પાપનો અનુબંધ ન પડે અને અભવ્યના નિરતિચાર ચારિત્રના પાલનમાં પણ પાપનો અનુંબધ પડે. સાધુભગવન્ત નદી ઊતરે તોપણ હિંસાનું પાપ ન લાગે અને તમે પુલ ઉપરથી કોઈ પણ જીવને હણ્યા વગર જાઓ તોપણ હિંસાનું (અવિરતિજન્ય કે મિથ્યાત્વજન્ય) પાપ લાગે. પાપ કેટલું ઓછું છે કે વધારે છે એ નથી જોવાનું, પાપ છોડવાના પરિણામ કેવા-તે જોવાનું. પાપ ન કરવાનો પરિણામ તેનું નામ યતના. * આજે આપણે ધર્મ કરીએ છીએ ખરા પણ ધર્મ ગમતો નથી, ધર્મની ઈચ્છા નથી, આગળ વધીને ધર્મ પ્રત્યે નફરત ઘણી છે, અને નફરત છે તેનું કારણ એ છે કે ફળ જોઈતું નથી. અમારે ત્યાં નિયમ છે કે જેને ફળ પ્રત્યે દ્વેષ જાગે તેને ઉપાય પ્રત્યે પણ દ્વેષ જાગે જ. * જે સાધુ આ રીતે શુદ્ધપ્રરૂપણા નથી કરતો તે કેવો થાય છે, તે જણાવે છે કે ગાથા-૨૮ : પોતાના પરિવાર માટે અને પોતાની પૂજાના હેતુથી, પાસત્થા, અવસન્ન વગેરેની અનુવૃત્તિ (અનુસરણ) કરતો એવો જે, વિશુદ્ધ દેશના નથી આપતો તેને દુર્લભબોધિ જાણવો. * શ્રી પંચસૂત્રમાં કહ્યું છે, માર્ગની દેશના સામાન્ય જીવો માટે સિંહની ત્રાડજેવી છે. જે દિવસે આપણે માર્ગની દેશના સાંભળીએ ને આનંદ થાય અને આપણે ઘણું પામવાનું બાકી છે – એવી અનુભૂતિ થાય ત્યારે સમજવું કે માર્ગની દેશના સાંભળવાની યોગ્યતા આપણામાં આવી. * ધર્મ અને માર્ગ એકબીજાના પૂરક છે એની ના નથી પણ એ બેને જુદા પાડવાનું કામ આપણે આપણી ઈચ્છાઓના કારણે કર્યું છે. માર્ગ આરાધવો હંશે તો આજ્ઞા સામે જોવું પડશે, આપણે તો ધર્મ ઈચ્છા મુજબ કરવાની છૂટ છે એમ માની લીધું છે ને ? જે સુખના લાલચુ છે તેઓ ધર્મ કર્યા વિના નહિ રહેવાના અને દુઃખના ૨૫૪ Jain Education International For Private & Personal Use Only શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy