SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કરે. પણ તેઓ માર્ગસ્થ ન બની શકે. સાધુપણાની આરાધના કરીને દેવલોકમાં જવા રાજી હોય તો તે માર્ગસ્થ ન કહેવાય. સ. મોક્ષમાં જવા માટે દેવલોક એ વિસામો નહિ? વિસામા તરીકે નરક પણ ચાલે ને? સુખના રાણી માટે દેવલોક પણ દુર્ગતિરૂપ જ છે. શ્રેણિક મહારાજાની નરક સારી, આપણો દેવલોક સારો નહિ. જેને મોક્ષમાં જવું હોય તેને દેવલોકમાં આનંદ આવે? જેમાં આપણું ઠેકાણું પડે તે ભવ આપણા માટે સારો. ઠેકાણું પડે એવો પાડાનો ભવ પણ સારો અને રખડવું પડે એવો દેવલોક પણ સારો નહિ. * આ બધાં વિશેષણો આપ્યા પછી પ્રવચનનો રાગ અસ્થિમજ્જા થયેલો કેવો હોય છે તેનો આકાર બતાવતાં કહ્યું છે કે “આ ધર્મ જ અર્થરૂપ છે, પરમાર્થભૂત છે, બીજે બધો ધર્મ અનર્થભૂત-અવાસ્તવિક છે' એવું માનવું તેનું નામ પ્રવચન પ્રત્યેનો રાગ. ભગવાનના ધર્મ કરતાં બીજો ધર્મ સારો લાગે તો સમજી લેવું કે પ્રવચનનો રાગ નથી. બીજા ધર્મમાં પણ સારી વાત આવે છે-એવું બોલે કે માને તે પ્રવચનરાગી ન હોય. ભગવાનના શાસન કરતાં ચઢિયાતું બીજું કશું જ નથી એવું માનવું તેનું નામ પ્રવચનનો રાગ. તે ઉપરાંત શ્રાવકો સૂત્રાદિમાં કુશલ હોય છે, પદ, વાક્ય વગેરેના વિચ્છેદપૂર્વક ઉદાત્ત, અનદાત્ત વગેરે ઘોષ(સ્વર)થી વિશુદ્ધ અસ્મલિત, અવ્યત્યાગ્રેડિત વગેરે ગુણોથી યુક્ત એવા સૂત્રના ઉચ્ચારણનું પરિજ્ઞાન જે શ્રાવકને હોય તે શ્રાવકો સૂત્રમાં કુલ કહેવાય છે. તેમ જ સુગુરુની પાસેથી સ્વસમય-પરસમય, નિશ્ચય-વ્યવહારાદિ નયના વિભાગ વડે સૂત્રાભિધેય અર્થાત્ સૂત્રના જે અર્થ, તેનું જ્ઞાન સારી રીતે મેળવીને જેણે સ્થિર કર્યું હોય તેવા શ્રાવકો અર્થમાં કુશળ કહેવાય છે. * ચોવીસે કલાક ગુરુની નિશ્રા ન હોય તો શ્રાવકો ઉન્માર્ગગામી બની જાય તેથી તેમને માટે ઉત્સર્ગ-અપવાદ વગેરે દરેક પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે. તેથી જ તેમના માટે પ્રવચનકુશલત્વ વિશેષણ આપ્યું છે. સૂત્રથી કુશલ હોય, અર્થથી કુશલ હોય. ઉત્સર્ગ એટલે સામાન્યથી જણાવેલો વિધિ અને અપવાદ એટલે વિશેષથી જણાવેલો વિધિ. આ બંન્ને પ્રકારના વિધિના જાણકાર જ નહિ, કુશળ હોય. * એની સાથે શ્રાવક વ્યવહારમાં પણ કુશળ હોય. વ્યવહાર ચાર પ્રકારના છે. ધર્મવ્યવહાર, અર્થવ્યવહાર, કામવ્યવહાર અને લોકવ્યવહાર, ધર્મવ્યવહારમાં જણાવ્યું શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૨૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy