SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ કહો છો? તેનું ચિત્ત રમવામાંથી ખસેડવા માટે ને? તેમ પુણ્ય ભેગું કરવા માટે મહેનત કરવી એ સંસારમાં રમવાનાં લક્ષણ છે. જેને સંસારમાં રહેવું જ નથી તે પુણ્ય ભેગું કરવા મહેનત શા માટે કરે ? નિર્જરા માટે કરેલો ધર્મ, જ્યાં સુધી સંસારમાં રહીએ ત્યાં સુધી ધર્મ કરવા માટેની અનુકૂળતા આપી જ દેશે. * સ્વરૂપથી, હેતુથી અને ફળથી ધર્મનું જ્ઞાન કરવું તે સ્વ-સ્વરૂપથી જ્ઞાન. ભગવાનના વચનનું અનુસંધાન એ ધર્મનો હેતુ છે. વિષયકષાયની પરિણતિનો હાસ એ ધર્મનું સ્વરૂપ છે અને સર્વથા કર્મક્ષય એ ધર્મનું ફળ છે. * આજે આપણને ધર્મ ન થાય તો દુઃખ થાય પણ ધર્મનું ફળ ન મળે તો દુઃખ ન થાય ને ? પાંચ તિથિએ એકાસણું કે આયંબિલ કોઈ કારણસર રહી જાય તો દુઃખ થાય પણ એકાસણાં કરવા છતાં વિરતિ ન મળે તો દુઃખ ન થાય ને ? શાસ્ત્રકારોએ જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે. તેનો અર્થ જ એ છે કે ગૃહસ્થપણાના દરેક અનુષ્ઠાનનું ફળ વિરતિ છે અને સાધુપણાના ધર્મનું ફળ વીતરાગતા છે. વિરતિ વિના વીતરાગતા નથી જ મળવાની. કાણા ઘડાને ઘડો ન કહેવાય તેમ અવિરતિનાં કાણાં જેમાં પડ્યા હોય તે ધર્મને ધર્મ ન કહેવાય. આજે ચાતુર્માસનો છેલ્લો દિવસ છે. આ ચોમાસાની ફલશ્રુતિ શું છે ? ધર્મ આપણે કેટલો પામ્યા એ જ ચોમાસાની ફલશ્રુતિ છે. ચાતુર્માસમાં અનુષ્ઠાન કેટલાં કર્યો એ મહત્ત્વનું નથી. માર્ગનું જ્ઞાન કેટલું મળ્યું તે જ મહત્ત્વનું છે. અનુષ્ઠાન તો જાતે પણ કરી શકાય. માર્ગનું જ્ઞાન આપવાનું કામ સાધુભગવન્તો જ કરવાના. ચાતુર્માસમાં સાધુભગવન્તોને શા માટે લાવો છો ? અનુષ્ઠાન કરાવવા માટે કે માર્ગનું જ્ઞાન મેળવવા માટે ? માર્ગનું જ્ઞાન પામવા માટે આજનો દિવસ છે. ચાર મહિનામાં તો શ્રાવક માર્ગનો જ્ઞાતા બની ગયો હોય. જે કાંઈ ધર્મ કરીએ તે માર્ગસ્થ હોવો જોઈએ. ન ચાલીએ એ બને, ઊંઘી જઈએ એ ય બને પણ માર્ગસ્થ હોવું જોઈએ. તમે લોકો ગાડીનું પાર્કિંગ પણ કેવી રીતે કરો ? ગાડીનું મોઢું દીવાલ તરફ રાખો કે માર્ગ તરફ રાખો ? ગાડી રિવર્સમાં લઈને પણ ગાડીનું મોટું માર્ગ તરફ રાખો ને ? ત્યાં જેટલી અક્કલ છે એટલી અહીં નથી ને ? અહીં ધર્માત્માનું મોટું માર્ગ તરફ ન હોય અને સંસાર તરફ જ હોય ને? એક સાધુમહાત્મા ગયા પછી બીજા મહાત્મા લાવો તે શેના માટે લાવો ? ઉપાશ્રયનાં દ્વાર ખુલ્લાં રાખવા માટે ? સાધુભગવન્તને તો માર્ગનું જ્ઞાન પામવા માટે લાવવાના છે અને તે પણ માર્ગનું જ્ઞાન આપે એવા લાવવાના. ઉપાશ્રયનાં દ્વાર ખુલ્લાં રાખવા માટે નહિ, હૈયાનાં દ્વાર ખોલવા માટે સાધુભગવન્તને લાવવા છે. ધર્મ અને માર્ગમાં ફરક છે. ધર્મ કરવાનું કામ અભવ્ય જીવો પણ કરે છે, અચરમાવર્તવર્તી જીવો ૨૪૮ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy