SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ * જમવાનું સમયસર જોઈએ, પીવાનું સમયસર જોઈએ, ઊંઘવાનું પણ સમયસર જોઈએ, દર્શન, પ્રતિક્રમણ ગમે ત્યારે થાય ! ખાધા પછી કસરત ન થાય, પણ ખાધા પછી દર્શન કરવા જવાય ને? * તીર્થયાત્રા કરતાં સંયમયાત્રા મહાન છે. આથી તીર્થયાત્રા માટે પણ સાધુ સંયમ-યાત્રાને શિથિલ ન કરે. ડોળીનો ઉપયોગ કરવો પડતો હોય તો તેવી યાત્રા નથી કરવી. શ્રાવકે પણ ડોળીમાં બેસીને યાત્રા ન કરવી. આપણા કારણે તીર્થની આશાતના થાય એ રીતે ધર્મ નથી કરવો. સ. શ્રાવક ગાડીમાં બેસીને મહાબળેશ્વર-માથેરાન ફરવા જતો હોય તો ડોળીમાં બેસીને યાત્રા કરે એમાં શું વાંધો? શ્રાવક ગાડીમાં ફરવા જાય તો પણ તેને અધર્મ માને જ્યારે ડોળીમાં બેસીને યાત્રા કરે તો તેને ધર્મ માને ને ? આટલો ફરક પડે ને? અધર્મની બુદ્ધિથી અધર્મ કરતો હોય તો નભાવાય, પણ ધર્મબુદ્ધિથી અધર્મ કરે તે તો વધારે ભૂંડું છે. ડોળીમાં બેસવું અધર્મ છે એમ માનીને યાત્રા કરો તો વાંધો નથી પણ પરિણતિ અને પ્રવૃત્તિના ભેદને સમજવાનું કામ તમે ધારો છો એટલું સહેલું નથી. * અસહિષ્ણુતાનું આલંબન લઈને અપવાદ સેવવાની છૂટ, પણ ભક્તિનું કે આરાધનાનું આલંબન લઈને અપવાદ ન લેવાય. * જે ધર્મના કારણે આપણે આગળ વધ્યા એનું આલંબન લેવું જોઈએ, ત્યાગ ન કરવો જોઈએ એવી વાત પણ ન કરવી. દ્રવ્યસ્તવના કારણે આગળ વધ્યા તે દ્રવ્યસ્તવ ભાવસ્તવમાં સેવવાની જરૂર નથી. કારણકે ભાવસ્તવની કક્ષા ઊંચી છે. આપણે જે કક્ષામાં આવ્યા હોઈએ એ કક્ષાને અનુરૂપ આલંબન લેવાનું. દ્રવ્યસ્તવ માટે સાધન-સામગ્રીની અને એ માટે પુણ્યની જરૂર પડે છે. જ્યારે ભાવસ્તવ માટે પુણ્યની જરૂર નથી, ક્ષયોપશમભાવની જરૂર છે. ભાવસ્તવ ઉત્કૃષ્ટ માર્ગ છે. ત્યાં ગયા પછી અનુત્કૃષ્ટમાર્ગનું સેવન ન કરાય. * તીર્થંકરભગવતે શું કહ્યું છે તે જણાવે છે ૧૮મી ગાથાથી. સર્વરત્નોથી જડેલાં જિનમંદિરો વડે આખું પૃથ્વીતલ (અર્થાત્ ભરતાદિ ક્ષેત્રના ગામેગામ, નગરનગર) જે કોઈ વિભૂષિત કરે તેના કરતાં પણ સંયમ મહદ્ધિક અર્થાત્ મહાન છે. આના ઉપરથી સ્પષ્ટપણે સમજાય છે ને કે મંદિર બંધાવવા કરતાં પણ સાધુપણાનું એક દિવસનું પાલન ચઢિયાતું છે. તેથી પ્રતિષ્ઠા કે અંજનશલાકા વગેરેના પ્રસંગ માટે દોડાદોડ કરીને ૨૪૦. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy