SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ * ખાવાના કારણે તપ થાય છે - એવું નથી, ખાવાનું ન ગમે તો ત૫ મજેથી થાય. અવિરતિ ગમે તે તપ ન કરી શકે, અવિરતિ જેને ખરાબ લાગે તે તપ સારામાં સારો કરી શકે. ધર્મ નથી કરતા તેમાં અશક્તિ કામ કરે છે કે આસક્તિ? * મરણના ભયે જેમ ભૂખ ભુલાઈ જાય તેમ સંસારનો ભય લાગે તેને ભૂખ ન સતાવે. કકડીને ભૂખ લાગી હોય અને ઝાડ નીચે દાબડા ખોલી બેઠા હો અને વાઘ આવ્યો’ ની બૂમ આવે તો શું કરો ? ભૂખ શરીરને લાગે છે, આત્માને નહિ. ધર્મ એ આત્માનો ગુણ છે, શરીરના કીધે મૂકી નથી દેવો. ધર્મ માટે પ્રાણ છડે પણ પ્રાણ ખાતર ધર્મ ન ઇંડે – તે સમર્થભવ્ય; તે સમ્યકત્વ પામવા માટે લાયક છે. ધર્મનું મૂલ્ય સમજાઈ ગયા પછી સત્ત્વ કેળવ્યા વિના નહિ ચાલે. * મિથ્યાત્વરૂપી અંધકારથી મૂઢ થયેલા માણસો બચે તો પુણ્યના યોગે જ બચે. બાકી પાપનો ઉદય ચાલતો હોય તો ભગવાનના સમવસરણમાં ય સમકિત ન પામી શકાય. આ કાળમાં મોક્ષ મળે તેમ નથી તો મહેનત વધારવી છે કે માંડી વાળવી છે? એકાસણાં કરીને ચારિત્ર ન મળ્યું તો આયંબિલ કરવાં છે ? * આચાર્યભગવન્તની હાજરી એ નિશ્રા નથી, હૈયામાં પ્રતિબિંબ પડેલું હોય તે જ નિશ્રા. આચાર્યભગવન્ત ગયા પછી પણ તેમનું વચન આપણી પાસે છે ને ? તેમણે બતાવેલા ભગવાનના માર્ગે ચાલવા માંડવું – એ જ તેમની નિશ્રા છે. * કુટુંબને સમ્યત્વ પમાડવાની લાયકાત હોવા છતાં આપણો મોહ તો આપણને નડ્યો, સાથે બીજાનો મોહ પણ નડવા માંડ્યો. જ્ઞાની પાછળ અજ્ઞાની જાય કે અજ્ઞાની પાછળ જ્ઞાની જાય ? તમારી પાછળ કુટુંબ આવે કે કુટુંબ પાછળ તમે જાઓ? * આ યુગ ભલે બદલાય પણ ભગવાનનું વચન નહિ બદલાય, તો શું કરવું છે? ભગવાનનું વચન માનવું છે કે છોડી દેવું છે? તમને ન સમજાય તો એક વાર જ નહિ, દસવાર - સોવાર સમજાવું પણ સમજાયા પછી શું કરવું છે ? માનવું છે કે એવાને એવા રહેવું છે ? અતિમાની ચાલશે પણ માન મૂકવાની તૈયારીવાળો જોઈએ. સાચું સમજાયા પછી દાસ થઈને રહેવાની તૈયારીવાળો હોય તો કામ લાગે. મરતાં મરતાં પણ ભગવાનની વાત માનીને – લઈને જવું છે, આપણી વાત મૂકીને જ જવું છે. * ધર્મને અધર્મ, અધર્મને ધર્મ, હેયને ઉપાદેય, ઉપાદેયને હેય માનીને મોહના અંધકારમાં ભટક્યા જ કરીએ છીએ. આવા વખતે પુણ્યથી જે થોડીઘણી સામગ્રી મળી છે તેનો ઉપયોગ કરી લેવો છે, બહાર ભટકવું નથી. સમ્યકત્વપ્રાપ્તિની સહાયક સામગ્રી શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy