SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ * * “સાધુમહાત્માને વહોરાવવું. તેમાં પાત્રાપાત્રની વિચારણા કરવાની જરૂર નથી, આધાકર્મી, કીત, અભ્યાહત હોય તો પણ વહોરાવવું - આ પ્રમાણે કહેવું એ કુમાર્ગ છે. મેઘ વરસે તે ઠામ-કુઠામ ન જુએ તેમ પાત્ર-કુપાત્ર જોવાની જરૂર નથી. મેઘની જેમ દાન આપવામાં લાભ છે – એમ કહેવું એ કુતર્ક છે. * “સુસાધુઓ પાસે જ ચારિત્ર લેવું એવું નહીં, કોઈની પણ પાસે ચારિત્ર લેવું. સુસાધુઓ પાસે જ ચારિત્ર લેવું એવું બોલવામાં ચારિત્રનો નિષેધ થાય છે..... આ પ્રમાણે બોલવું એ પણ કુમાર્ગ છે. * બુદ્ધિનું સ્તર નીચું હોય અને મહાપુરુષોની છાયા ન હોય ત્યારે જે ઉન્માર્ગ ફેલાય તો આપણી શી દશા થાય? આથી આ કુમાર્ગોને સમજી લઈને આપણે એનાથી દૂર રહેવું છે. * ચૈત્યનિવાસી કુસાધુઓ ચૈત્યદ્રવ્ય વગેરેના સ્વામી બનીને ભાવિક લોકોને પોતાની ઈચ્છા પ્રમાણે પ્રવર્તાવે અને ભોળા લોકોને વિશ્વાસમાં લેવા માટે, જે વિધાન સાધુભગવા માટે શાસ્ત્રમાં આપેલાં છે તે વિધાન ગૃહસ્થ માટે પણ જોડીને તેમને છેતરે છે. શાસ્ત્રમાં સાધુઓ માટે એવું વિધાન છે કે – “દીક્ષા વખતે જે સાધુની, જે આચાર્યાદિની વ્યવસ્થા હોય, જે વયરી વગેરે શાખા, જે ચાન્દ્ર વગેરે કુળ હોય, તેમ જ દ્રવ્યાદિના પ્રતિષેધરૂપ, ધૃતિસંહનનાદિની અપેક્ષાએ કારણવિશેષે જે સૂત્રાતિરિક્ત જતકલ્પાદિ વ્યવહાર પૂર્વપુરુષોએ મર્યાદા તરીકે જણાવેલો હોય તેનું અતિક્રમણ કરનાર અનંતસંસારી થાય છે. આ રીતે અનન્ત સંસારીપણાનો ભય બતાવીને સાધુની વાત ગૃહસ્થ માટે જોડે અને અન્ય ગુર્નાદિકના વંદનાદિથી રોકે તે પણ એક પ્રકારનો કુમાર્ગ * તે જ રીતે જિનભવન બંધાવવું તેમ જ તેમાં પ્રતિમા ભરાવવી, તેની પૂજાઅર્ચા વગેરે કરવી આ બધું સ્વયં સ્વદ્રવ્યથી કરવું કે પરદ્રવ્યથી કરાવવું-આ બધાં વિધાન ગૃહસ્થ માટેનાં હોવા છતાં સાધુ માટે પણ વિહિત તરીકે જણાવવાં તે પણ કુમાર્ગ છે. * પોતાની મતિકલ્પનાથી માનેલા માર્ગને શાસ્ત્રના અમુક વિધાનોના નામે માર્ગ તરીકે જણાવવો તે કુમાર્ગ છે. વર્તમાનમાં જેમ ઘણા લોકો શંકા કરે છે કે ભણેલાગણેલા આવું શા માટે કરે – તેવી જ શંકા અહીં શિષ્ય કરે છે. તેના નિવારણમાં જણાવ્યું છે કે ભણેલાગણેલા પણ સિદ્ધાન્તને પ્રતિકૂળ બને અને મૂઢ અર્થા શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૨૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy