SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ મનગમતા આચારને પ્રવર્તાવનારા, આગમના શત્રુ એવા મૂઢ જનો (કુગુરુ વગેરે) દ્વારા સદાચારથી વિમુખ એવા ઘણા લોકોના ટોળા સાથે ભેગો કરવા દ્વારા બળાત્કારે પણ કુમાર્ગમાં વ્યવસ્થાપિત કરાય છે. જે સાધુઓ બીજાને કુમાર્ગે દોરે છે તે ક્યા કારણસર આવું કરે છે તેનાં પાંચ કારણ બતાવ્યાં છે. શુદ્ધતા, લોભ, દીનતા વગેરે લક્ષણવાળા ભવાભિનંદી જીવોનું વર્ણન પૂર્વે કરેલું છે, આવી ભવાભિનંદિતા હોવાથી કુમાર્ગમાં દોરે છે. તેની સાથે રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારમાં પ્રતિબદ્ધ હોવાથી તેઓ આ રીતે પ્રવૃત્તિ કરે છે. તેમ જ પોતાને મનફાવતા આચારને પ્રવર્તાવનારા હોય છે. પોતાની ઈચ્છા મુજબના આચારો લોકોમાં પ્રવર્તાવે તેવા વખતે જે આગમનો અભ્યાસ કરે અને આગમ પ્રત્યે શ્રદ્ધા રાખે તો પોતાની સ્વેચ્છાચારી પ્રવૃત્તિથી પાછા ફરી શકે પરંતુ આવાઓ આગમના પ્રતિપથી એટલે વિરોધી હોવાથી લોકોને કુમાર્ગે દોરે છે અને આવા લોકોને પાછું સદાચારથી વિમુખ એવા લોકોનું પરિબળ મળી રહે છે તેના કારણે તેઓ એવા લોકોનો સંગ બળાત્કાર કરાવવા દ્વારા શુદ્ધ ધર્મ માટે ઉત્સાહિત થયેલા જીવને પણ કુમાર્ગમાં જોડે છે. ૪ યદ્યપિ આ રીતે સાધુભગવન્તો કુમાર્ગની વ્યવસ્થા કરે એ વસ્તુ બેસતી નથી.... આવી કોઈ શંકા કરે તો તેના નિરાકરણમાં આ કુમાર્ગ કેવા પ્રકારનો છે એના થોડા નમૂના બતાવે છે. ગાથા ૨, ૩ (૧) “જિનમંદિર કે દેવદ્રવ્યનો વહીવટ કરવો... વગેરે વિષયમાં માત્ર ગૃહસ્થનો જ અધિકાર છે એવું નથી, સાધુભગવન્તોનો પણ અધિકાર છે' - એ પ્રમાણે આગમથી પરામુખ બનેલા મૂઢ જનો કુમાર્ગ પ્રવર્તાવે છે. તેમ જ (૨) “સાધુ ભગવન્તોની જેમ ગૃહસ્થો પણ ગચ્છપ્રતિબદ્ધ છે'; (૩) જેમતેમ અર્થાત્ આધાકર્માદિ દોષયુક્ત એવા આહારવસ્ત્રાદિ પાત્રાપાત્રનો વિવેક કર્યા વિના સાધુઓને આપવાયોગ્ય છે.' (૪) “સુવિહિત સાધુઓ પાસે વ્રત ન લેવું તેમ જ (૫) જિનભવન બાંધવા-બાંધવવા તેમ જ જિનપૂજા કરવા-કરાવવાના વિષયમાં યતિઓસાધુઓ પણ અધિકારી છે. અર્થા એ કાર્ય માત્ર ગૃહસ્થોનું નથી, સાધુઓનું પણ છે' - આ પ્રમાણે આગમથી પરાક્ષુખ બનેલા મૂઢ જનોએ પ્રવર્તાવેલો કુમાર્ગ છે. * વર્તમાનમાં તો આવા કંઈકગણા કુમાર્ગો પ્રવર્તી રહ્યા છે. આજે ઘણા સાધુઓ સુગુરુ અને કુગુરુનો વિવેક કરવાની ના પાડે છે. “સાધુનો વેષ પહેરે તે બધા પૂજ્ય'- એવું સમજાવે છે. પાછા પોતાની વાતના સમર્થનમાં જણાવે છે કે – “એટલા માટે તો નવકારમંત્રમાં “નમો લોએ સવ્વસાહૂણં' અહીં સવ્વ પદ આપ્યું છે. સર્વ એટલે સુગુરુ હોય કે કુગુરુ: બધાને નમસ્કાર કરવાનો...” આ પણ એક કુમાર્ગ છે. ૨૧૦ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy