SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ગમે તેટલું સારું, કપડાં ગમે તેટલાં સારાં હોય પણ તેનો જો યોગ્ય ઉપયોગ કરતાં ન આવડે તો દવા રોગી બનાવશે, ખાવાની વસ્તુ ઘાતનું કારણ બનશે અને કપડાં પાડી નાંખવાનું કામ કરશે. માટે માર્ગ કુમાર્ગ ન બને એનું ધ્યાન રાખવું છે અને માર્ગ કુમાર્ગ કઈ રીતે બને છે તે જાણી લેવું છે. ખોટું ખોટા-તરીકે સમજાઈ ગયા પછી ખોટાનો ત્યાગ કરવા તૈયાર થવું તે માર્ગતત્વની આરાધના. * ધર્મની આરાધના જે વિશુદ્ધભાવે કરે તો અનુત્તરમાં જવાનો પ્રસંગ જ ન આવે. આયુષ્યનો બંધ છઠ્ઠા ગુણઠાણે થાય, પ્રમત્તદશામાં થાય, અપ્રમત્તદશામાં ન થાય. આયુષ્ય બાંધતાં બાંધતાં સાતમે જાય એ બને પરંતુ નવેસરથી બંધ ત્યાં ન કરે. તેથી આયુષ્યનો બંધ કર્યો તે પણ પ્રમાદનો પ્રભાવ છે. અપ્રમત્તદશા જો જાળવી રાખી હોત તો આયુષ્ય બંધાત નહિ અને સાત લવ જેટલી કે એક છઠ તપજેટલી આરાધના ઓછી ન પડત. તેથી દેવલોકની પ્રાપ્તિ એ શુદ્ધ ધર્મનું ફળ નથી, પણ ધર્મની અશુદ્ધિનું પરિણામ છે. શુદ્ધધર્મનું ફળ મોક્ષની પ્રાપ્તિ છે. જેને ક્ષણવારમાં મોક્ષ મળે એવો હોય તેને તેત્રીસ સાગરોપમ અને પૂર્વકોટિવરસ જેટલો કાળ સંસારમાં રહેવું પડે તો તેને પોતાની ભૂલનો વસવસો કેવો થાય? સ. કર્મની સર્વોપરિતા છે. કર્મની સર્વોપરિતા છે એવું નથી, કર્મને આધીન બનીએ તો જ તે કર્મ સર્વોપરિ બને. બાકી તો કર્મ રાંકડું છે, આત્માનું વીર્ય સર્વોપરી છે. અનુત્તરમાં જનારાઓ કર્મયોગે જાય છે એની ના નહિ પણ કર્મની આધીનતા ન હોવાથી અવિરતિના ઉદયમાં પણ અવિરતિની પ્રવૃત્તિ નથી કરતા તેમ જ તેવા પ્રકારની અવિરતિનો બંધ નથી કરતા. ક્ષણવાર પ્રમાદ કર્યો માટે અનુત્તરમાં જવું પડ્યું પણ અપ્રમત્તપણે જે આરાધના કરી હતી તેના પ્રભાવે એ નડતું નથી. * આ ગાથાની ટીકામાં મત્ર હૃદયે... કહીને ફરીથી ગાથાનો તાત્પર્યાર્થ સ્પષ્ટ કરીને બતાવ્યો છે. કારણ કે આ વાત ઝટ સમજાય એવી નથી તેમ જ પોતાની અસત્યવૃત્તિનો આગ્રહ હોવાથી આ વાત સ્વીકારી શકાય એવી નથી. માટે તાત્પર્ય સમજાવતાં ફરમાવ્યું છે કે કોઈક વાર ભારેકર્મી જીવને પણ ક્યારેક વિશિષ્ટ કોટિનો ક્ષયોપશમ પ્રગટવાથી સુગુરુનો યોગ થાય અને તેના કારણે વિવેક ઉલ્લસિત થવાથી વિશુદ્ધધર્મ કરવા ઉત્સાહવાળો બને તોપણ અત્યન્ત ગુરુકર્મના ભારથી વ્યાપ્ત હોવાથી એવો પણ જીવ; ભવાભિનંદી, ત્રણ ગારવથી પ્રતિબદ્ધ, પોતાને અભિપ્રેત-ઈષ્ટ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy