SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ એનો વિચાર ન કરીએ તે સુદીર્ધદર્શિતા નથી. આજે આપણે – જૈનોએ- શાસનને જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું નુકસાન જૈનેતરોએ નથી પહોંચાડ્યું. * નવમા રૈવેયકને પામવાનું કામ તો અભવ્યો પણ કરે છે. અપુનબંધક દશા પામવાનું કામ કઠિન છે. નવમા સૈવેયકને પામવા પ્રયત્ન કરવો તે દીર્ધદર્શિતા, પણ અપુનબંધક દશા પામવા પ્રયત્ન કરવો તે સુદીર્ધદર્શિતા. નવમું રૈવેયક પામવા છતાં એક પણ દષ્ટિ ન મળે એવું બને. જ્યારે અપુનબંધક દશામાં ચાર દષ્ટિનો વિકાસક્રમ સાધી શકાય છે. * સુખ મેળવવા માટે નજર માંડવી તે ટૂંકી દૃષ્ટિ છે, સુખ છોડવા માટે દષ્ટિ માંડવી તેનું નામ સુદીર્ધદર્શિતા. સુખ કેટલું મળશે એ નથી વિચારવું, સુખ કેટલું નડશેએ વિચારવું છે. આજે સુખના નડતરનો વિચાર નથી તમે કરતા નથી અમે કરતા, તો સુદીર્ઘદર્શિતા ક્યાંથી આવે? * તીર્થયાત્રાએ સંસારથી તરવાના ભાવે જવાનું છે, દુઃખથી છૂટવાના ભાવે નહિ. સંસાર ટૂંકાવા માટે તીર્થસ્થાને જવું તે તીર્થયાત્રા. વેકેશન ગાળવા માટે તીર્થસ્થાને જવું તે ભવયાત્રા. * ધર્મ કરતી વખતે માયા નહિ કરવાની, ધર્મ કરવા માટે માયા કરવાની છૂટ. દીક્ષા મળતી ન હોય તો દીક્ષા લેવા માટે માયા કરવાની છૂટ, પણ દીક્ષા લીધા પછી પાળતી વખતે માયા કરવાની છૂટ નહિ. * અઈમુત્તામુનિ આ સુદીર્ધદર્શિતાના યોગે કેવળજ્ઞાન પામી ગયા. પોતાના પાપની પોતાને એવી લજ્જા આવી કે સ્થવિર ભગવન્તો સાથે આંખ મિલાવી ન શક્યા. આજે આપણે પાપ કેટલા કરીએ છીએ ? છતાં તેની લજજા છે? દુનિયાની દષ્ટિએ આપણે ભલે નિર્દોષ હોઈએ પણ આપણી દષ્ટિએ આપણે નિર્દોષ નથી ને? આપણાં ખરાબ કામ બીજા કદાચ ન જાણે, આપણે તો જાણીએ ને ? એના વિપાક કેવા આવશે એનો ખ્યાલ છે ને ? જે થઈ ગયું છે એના અનુબંધ ખરાબ ન પડે તે માટે પ્રયત્ન કરવો છે. વિપાક ભોગવવા તૈયાર થયું છે. સાથે અનુબંધ તૂટે એ માટે આલોચના લઈ, પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થવું છે. પાપનાં નિમિત્તો તો ડગલે ને પગલે મળવાનાં, સાવધાન આપણે થવું પડશે. મિથ્યાત્વના કારણે, અવિરતિના કારણે; કષાય, યોગ કે પ્રમાદના કારણે આનંદ આવતો હોય તોય એવો આનંદ જોઈતો નથી. મિથ્યાત્વાદિને કાબૂમાં રાખવા છે. એ બધાથી ક્ષણવાર આનંદ મળે એવું લાગે પણ તેનું પરિણામ શું ? શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૧૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy