SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ માટે ન કર્યો. આજે તમે ધર્મ કરવાનું શરૂ કર્યું છે પણ ધર્મ માટે આપણે યોગ્ય છીએ કે નહિ, તેનો વિચાર પણ કર્યો નથી. આજે સાધુપણામાં આવેલાને પણ પોતે સાધુપણા માટે યોગ્ય છે કે નહિ એવો વિચાર આવ્યો છે ? યોગ્યતાની ઉપેક્ષા સંસારના કોઈ ક્ષેત્રમાં કરતા નથી, માત્ર અહીં ધર્મક્ષેત્રમાં યોગ્યતાની ઉપેક્ષા કરીએ તે કેમ ચાલે ? * ૧૫. સુદીર્ધદર્શિતા : માત્ર દીર્ધદર્શિતાને ગુણ ન કહેતાં સુદીર્ધદર્શિતાને ગુણ કહ્યો છે. લાંબા ભવિષ્યનો વિચાર કરવો છે. પણ તે વિચાર સાચાનો હોવો જોઈએ. ખોટી વસ્તુમાં લાંબો વિચાર કરવો તે ગુણ નહિ. પરિણામનો વિચાર કરવો તે સુદીર્ધદર્શિતા. પર્વત ઉપરની વસ્તુ જોવી તે દીર્ધદર્શિતા અને પગ નીચેની કીડી જોવી તે સુદીર્ધદર્શિતા. ધર્મ કરતી વખતે આપણો ઈરાદો કયો? જેનો ઈરાદો ખરાબ હોય તેને ગમે તેવો ધર્મ ચાલે. જેને કંઈક પામવું હોય તે ધર્મની યોગ્યતાનો વિચાર કર્યા વિના ન રહે. શાસ્ત્રકારો કહે છે કે જયણાનો પરિણામ હોય અને જીવ મરી જાય તોપણ હિંસાનું પાપ ન લાગે અને જયણાનો પરિણામ ન હોય અને કદાચ જીવન મરે તોપણ હિંસાનું પાપ લાગે. તમારા વ્યવહારમાં પણ આ જ નિયમ છે. ડોક્ટર ઓપરેશન કરે અને દર્દી મરી જાય તો ય ખૂન કર્યાનો આરોપ ન આવે. અને ગુંડાના હાથમાંથી બચી જાય તોપણ ગુનો કર્યાનો આરોપ આવે ને? પરિણામની પ્રધાનતા તો દરેક ઠેકાણે છે. * આજે આપણને યોગ્યતા પામવાની ઉતાવળ નથી અને બીજાને ધર્મ કરાવવાની ઉતાવળ છે. બાપાએ કશું કરવું નથી અને છોકરાને સંસ્કાર આપવા છે – એ કેમ ચાલે? અણસમજુ સમજુ બને ત્યાં સુધી રાહ જોવી પડે ને? અણસમજમાં સંસ્કાર આપવાની ઉતાવળ કરીએ તો અવિધિ અને આશાતનાના સંસ્કાર પડે. છોકરાઓને પહેલાં, કહેલું માનવાના સંસ્કાર આપવાના. તમને કહીને રમવા જાય તો વાંધો નહિ, પણ તમને કીધા વિના પાઠશાળાએ જાય તોય ન ચાલે. તમારા કહ્યામાં રહે-એવા સંસ્કાર આપવા છે. પછી પૂજા ને સામાયિકના સંસ્કાર આપવા છે. છોકરાના હાથમાં પૈસાની નોટો ન આપો અને ચરવળો, મુહપત્તી આપો-તેનું કારણ શું? પૈસો કીમતી છે અને આ ધર્મનાં ઉપકરણો કીમતી નથી ? ધર્મ પ્રત્યે, ધર્મનાં સાધનો પ્રત્યે આદરભાવ જાગે એવા સંસ્કાર આપવા છે. જ્યારથી સમજણો થાય ત્યારથી સંસારની અસારતાના સંસ્કાર આપવા છે. * પોતાના પગતળે શું છે એનો વિચાર ન કરે અને ભવિષ્યનો વિચાર કરે તે દીર્ધદર્શિતા નથી. શાસન ઉપર કેટલાં આક્રમણ આવે છે માટે આપણે સંગઠિત થવુંએવી વાતો કરીએ પણ આપણે પોતે શાસનને કેટલું નુકસાન પહોંચાડીએ છીએ – ૧૯૮ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy