SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સ. સાધુપણામાં તો આવું ન હોય ને ? સાધુપણામાં પણ અનુકૂળ ભિક્ષા, માન-સન્માન વગેરેનું સુખ છે ને? માનસન્માન કે વિસ્થા માટે સ્વાધ્યાય છોડવો તેનું નામ શુદ્ધતા. ગુરુનું અનુશાસન ન ગમે માટે શિષ્યને લઈને જુદો જાય તેનું નામ શુદ્ધતા. ઊંચામાં ઊંચી વસ્તુ મળ્યા પછી નીચામાં નીચી વસ્તુ ભોગવવાનું મન તેનું નામ શુદ્ધતા. પુણ્યથી મળેલા સુખ ખાતર ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવના ગુણોની ઉપેક્ષા કરે તે તુચ્છબુદ્ધિવાળા. * જડ પ્રત્યેનો પ્રેમ તો એકપાક્ષિક જ છે પણ જે ચેતન પ્રત્યેનો રાગ આપણને છે તે પણ લગભગ એકપાક્ષિક છે. છતાં તેની ખાતરી આપણે આપણી જિંદગી બરબાદ કરી રહ્યા છીએ ને? * ગૃહસ્થનાં કામ સાધુ ન કરે તો તેને પતનનું કોઈ નિમિત્ત જ નથી. ગૃહસ્થપણાનાં કામ જે સાધુઓ કરે તેમને અવિરતિ ગમવા માંડી છે-એમ સમજવું. સાધુપણામાંથી પતન ન થાય તે માટે સાધુપણાની મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. મોટા થવાનું મન જેમને હશે તે ખોટા જ થવાના. સ્વામી થવાની ઈચ્છાવાળા શુદ્ધ છે, સેવક તરીકે ટકી રહેનારા ભદ્રતા વગરના છે. આવી ક્ષદ્રતા તો સાધુપણામાં પણ સંભવે છે – માટે પૂરી સાવધાની રાખવી છે. ભણાવવા માટે મૂકેલાને ગુરુના મટાડીને પોતાના બનાવે-આવો વિશ્વાસઘાત શુદ્ધતાના કારણે થાય છે. યોગ્યતા નથી તો સાધુપણું છોડી દેવું એ યોગ્ય નથી. સાધુતાની યોગ્યતા કેળવી જ લેવી છે. ચારિત્ર લેવું છે અથવા લીધું છે તેમણે શુદ્ધતા ટાળવી જ પડશે. એ ટાળવા માટે નક્કી કરો કે એક પણ કામ માબાપને કે ગુરુને પૂછ્યા વગર કરવું નથી. ક્ષુદ્રતા ટાળવાનો આ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. શુદ્ધતા વિનયને આચરવા દેતી નથી. આ ક્ષુદ્રતાનો અભાવ ગુણોની નિર્મળતા માટે જરૂરી છે. ઔદયિકભાવમાં ગુણો હોતા નથી. ક્ષયોપશમભાવમાં ગુણો ઝાંખા હોય છે અને સાયિકભાવમાં ગુણો નિર્મળ હોય છે. કુતૂહલવૃત્તિ એ પણ એક પ્રકારની તુચ્છતા, શુદ્ધતા છે. કુતૂહલવૃત્તિ આત્માને ઉપયોગી નથી, માત્ર ઈન્દ્રિયો અને મનને સુખાકારી છે. શાસ્ત્રના પાને લખેલું જોવાનું મન થાય તે દિક્ષા છે. દિદક્ષા એ ગુણ છે. શાસ્ત્ર સિવાય બીજું કાંઈ પણ જોવાનું મન થાય તો તે કુતૂહલવૃત્તિ છે અને એ અનર્થદંડ છે. કારણ કે તેનાથી આત્માના ગુણો પ્રગટતા નથી અને ઊલટું દોષોને ઉદ્ધોધન મળે છે. બે ઘડી આનંદ માટે કુતૂહલવૃત્તિ છે, જે આર્તધ્યાનના ઘરની છે. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૧૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy