SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ * ભગવાનનું શાસન અનુશાસનથી ચાલે છે. દીક્ષા આપ્યા પછી તે શિષ્ય ઉન્માર્ગે ન જાય અને માર્ગાનુસારી બની રહે તેની જવાબદારી ગુરુમહારાજની – દીક્ષા આપનારની છે. પતનનાં ભયસ્થાનો કયાં છે, ચઢવાનાં આલંબનો કયાં છે એનો ખ્યાલ ગુરુને હોય જ. જે એવી યોગ્યતા ન હોય તો દીક્ષા આપવાનો લોભ ન રાખવો. ધર્મરત્નની યોગ્યતાના એકવીસ ગુણો : ૧. અક્ષુદ્રતા * લાયકાત વગરના જીવો ધર્મ કરે તેને એક ગુણની પ્રાપ્તિ થતી નથી માટે પહેલાં લાયકાત કેળવવા મહેનત કરી લેવી છે. આ લાયકાત માટે માર્ગાનુસારીના એકવીસ ગુણો બતાવ્યા છે. તેમાં પહેલો ગુણ છે અક્ષુદ્રતા. યુદ્ધતાનો અભાવ તેને અશુદ્ધતા કહેવાય. શુદ્ધ તેને કહેવાય છે કે જેને સહન કરવાની વૃત્તિ ન હોય, બીજાની પાસેથી ખંખેરવાની વૃત્તિ હોય. પોતાનું બચાવે અને પારકાનું વાપરે તેને કૃપણ કહેવાય. ધર્મસ્થાનમાં કૃપણતાનો ત્યાગ કરવો પડે છે. કૃપણતાના ત્યાગ વિના ઔદાર્ય ન આવે. ઔદાર્ય એ ધર્મસિદ્ધિનું પહેલું લિંગ છે. મેળવવાની ભાવના હોય એ ઉદાર ન બની શકે, છોડવાની ભાવના હોય એ ઉદાર બની શકે. પોતાને નુકસાન થવા છતાં જતું કરવાની ભાવના હોય તે ધર્મ કરી શકે. કોઈનું ખમી ખાવાની વૃત્તિ તે ઉદારતા અને કોઈનું પડાવી લેવાની વૃત્તિ તે કૃપણતા. * અશુદ્ધ જીવોને અલબૂમધ્ય આ પ્રમાણે પણ કહેવાય છે. જેમ સાગરના પેટાળમાં બધું સમાય છે તેમ ધર્માત્મા બધું ખમી લે. દુઃખનાં રોદણાં ન રુએ, દુઃખની ફરિયાદ ન કરે, જેટલું દુઃખ આવ્યું હોય એટલું સહન કરી લે. સુખ છોડવા માટે અને દુઃખ ભોગવવા માટે ઉદારતા જોઈએ. ઉદારતા લાવવા માટે બધું હૈયામાં સમાવતાં શીખી લેવું છે. જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે નરકના જીવોને યાદ કરી લેવા. એ લોકો દુઃખની ફરિયાદ કેમ નથી કરતા તેમ આપણે પણ છતી શતિએ દુઃખની ફરિયાદ નથી કરવી. * શુદ્ધતા એટલે તુચ્છતા. અહીં તુચ્છતા એટલે હીન કુળમાં જન્મેલા અસંસ્કારી લોકોમાં જે તુચ્છતા છે તેની વાત નથી. ઉચ્ચ કુળમાં આવેલા અને સંસ્કારી કુટુંબોમાં પણ જોવા મળે એવી, બુદ્ધિની તુચ્છતાની વાત છે. સંસારના સુખો માટે ધર્મને વેડફી નાંખનારા તુચ્છબુદ્ધિવાળા છે. તુચ્છ એવાં સુખ માટે કીમતી સામગ્રીને વેડફી નાંખવી - એના જેવી મૂર્ખાઈ બીજી કઈ છે? પુણ્યથી મળેલી ઊંચામાં ઊંચી વસ્તુ પર નજર ન નાંખે તેનું નામ અશુદ્ધ. ૧૮૨ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy