SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તેમાં તેનો ઉપયોગ કર્યા વગર ન રહે. પલવવાની કે કાપ કાઢવાની આળસ વગેરેના કારણે વસ્તુ વાપરવાના બદલે સાચવી રાખવી તે પણ એક પ્રકારનું મમત્વ છે. મકાનની બહાર કપડો ઓઢીને જવાનું વિધાન હોવા છતાં કપડો પલવવાની આળસ હોવાથી કે પરસેવાવાળો થવાથી કાપ કાઢવો પડે તેનો કંટાળો આવતો હોવાથી પાંગરણી ઓઢીને દેરાસર કે વ્યાખ્યાન, ભિક્ષા આદિ માટે જવું તે પણ ઉપકરણનું મમત્વ છે. જે વીતરાગપરમાત્માએ સાધુધર્મ બતાવ્યો તેમની પાસે કપડો ઓઢયા વિના જવું તે તેમની આશાતના જ છે ને ? ત્રણ લોકના નાથ એવા પરમાત્મા પાસે પણ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા દ્વારા આશાતના કરાવે એવું આ મમત્વ છે. આ મમત્વની ભયંકરતા સમજાય તેને આકિંચન્ય ધર્મની મહત્તા સમજાયા વિના ન રહે. * બ્રહ્મચર્ય - બ્રહ્મ એટલે પરમ તત્ત્વ, તેને અનુકૂળ એવું આચરણ તેનું નામ બ્રહ્મચર્ય. અબ્રહ્મનું સેવન સંસારને વધારનારું હોવાથી તેનો ત્યાગ કરી બ્રહ્મચર્યનું પાલન કરવું. પાંચે ઈન્દ્રિયોના અનુકૂળ વિષયોથી મનને દૂર રાખવું, તેમાં હૈયું ન આપવું મનને ન જોડવું, જરૂર પૂરતો ઉપયોગ કરી લેવો તેનું નામ બ્રહ્મચર્ય. ચોથું મહાવ્રત બતાવ્યા પછી પણ અહીં બ્રહ્મચર્ય ધર્મ જણાવ્યો છે. કારણ કે ચોથા મહાવ્રતમાં સ્ત્રીનો ત્યાગ બતાવ્યો હતો જ્યારે અહીં એ ત્યાગ કર્યા પછી પાછું તેમાં મન ન જાય માટે નવ વાડ પાળવાની જણાવી. છોડેલું વળગે નહિ તે માટેનો પ્રયત્ન તે બ્રહ્મચર્ય ધર્મ. ગાડી ગેરેજમાંથી બહાર કાઢતી વખતે ધ્યાન રાખવા જેવું ચોથું મહાવ્રત છે અને રસ્તે ચલાવતી વખતે અકસ્માત ન થાય તેની કાળજી રાખવા જેવું બ્રહ્મચર્ય છે. * આ દશ પ્રકારનો યતિધર્મ દુષ્કર છે-એમ ગ્રંથકારશ્રી પોતે જણાવે છે. આથી તેને પામવા માટે પ્રયત્નવિશેષ કરવાની જરૂર છે. રત્નો જેમ ઓછાં હોય છે, રત્નોના અર્થી ઓછા હોય અને રત્નોને આપવાવાળા પણ ઓછા હોય તેમ આ ધર્મરૂપી રત્નના આરાધક ઓછા મળશે, તેના અર્થી ઓછા મળશે અને એ ધર્મરત્નના આપનારા પણ ઓછા મળશે. આવા યતિધર્મના પ્રરૂપકો ઓછા મળે ને ? સ. સત્ત્વ ક્યાંથી લાવવું? સત્ત્વ આકાશમાંથી નથી પ્રગટવાનું, બજારમાં નથી મળવાનું, આપણે જાતે જ પ્રગટ કરવું પડશે. સત્ત્વ છે તો ખરું, પ્રગટ કરવાની જરૂર છે. એક વાર સંસાર પ્રત્યે નફરત જાગે તો સત્ત્વ પ્રગટ્યા વિના ન રહે. ૧૮૦ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy