SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ, પાપનાં સાધનો અડી ન જાય એ રીતે જીવવા માટે અભ્યન્તર તપ પરમ ઉપાય છે. મળેલી સામગ્રી પાપમાં વપરાય તે પુણ્યથી મળેલી ન કહેવાય, પાપથી મળેલી કહેવાય. જેનું પરિણામ સારું તે સારું, પછી તે પાપનો ઉદય હોય કે પુણ્યનો ઉદય હોય. તેથી પુણ્ય પાપની ચતુર્ભગી વ્યવહારથી જ મનાય છે, નિશ્ચયનય તો બે જ ભાંગા માને છે. પુણ્યના અનુબંધવાળું પાપ હોય કે પુણ્ય-તે પુણ્ય જ કહેવાય અને પાપના અનુબંધવાળું પાપ હોય કે પુણ્ય હોય-તે પાપ જ કહેવાય; એમ નિશ્ચયનય માને છે. * જીવનમાં પરિવર્તન લાવે તેવો ધર્મ કરવો છે. જીવનમાં પરિવર્તન આવે નહિ અને નીચા જ ઊતરતા જઈએ તો તે કેવો ધર્મ કહેવાય ? પહેલાં પાપનો ભય કેટલો હતો અને અત્યારે કેટલો છે એનો હિસાબ કાઢ્યો? * ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરતી વખતે જે જે ભૂલો થાય તેની આલોચના કરી લેવી, તેનું નામ પ્રાયશ્ચિત્તતપ. થોડો રોગ થાય કે તરત દવા શરૂ ને ? તેમ જેવી ભૂલ થાય કે તરત જ આલોચના કરી લેવી, સજા ભોગવી લેવી. * દુકાનનો ઉંબરો ચઢતી વખતે ઉંબરાને હાથ લગાડીને માથે ન લગાડવો, પણ કપાળે હાથ મૂકીને વિચારવું કે આઠમા વર્ષે દીક્ષા ન લીધી માટે આ ઉંબરો ઘસવાનો વખત આવ્યો છે. આવું વિચારીને દુકાને બેસે તો ત્યાં પણ પાપથી બચે ને નિર્જરા શરૂ થાય. તમને ભીખ માગતા નથી કરવા, માટે કમાવાની ના ન પાડીએ પણ પૈસાના લાલચુ ન બનવા દઈએ ને ? ધંધો નીતિથી કરવો છે. ખોટું બોલવું નથી, ખોટા બિલ નથી કરવા. નોકરી કરતી વખતે પણ સમયની ચોરી નથી કરવી, સમયસર હાજર થઈ જવું, જે શેઠની નોકરી કરી હોય તેનો વિશ્વાસઘાત ન કરવો. * દુઃખ ભોગવવું એ પ્રાયશ્ચિત્તતપની સજા છે, સુખ ભોગવવા બેસીએ એટલે સમજવું કે પ્રાયશ્ચિત્તમાંથી ગયા. * પ્રાયશ્ચિત્ત પછી બીજે અભ્યન્તર તપ વિનય બતાવ્યો છે. વિનયની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે આઠ પ્રકારનાં કર્મોને આપણા આત્મા પરથી દૂર કરવા માટે જે કોઈ પ્રયત્ન કરવામાં આવે તેને વિનય કહેવાય. આ રીતે વિનયની વ્યાખ્યા કર્યા બાદ બાહ્ય વિનય કોને કહેવાય તે જણાવતાં કહ્યું છે કે ગુરુભગવન્ત આવે ત્યારે તેમને સામે લેવા જવું, તેમના હાથમાંથી વસ્તુ લઈ લેવી. વગેરે. ગુરુનો વિનય જ્ઞાન મેળવવા માટે કરવાનો છે, આટલું નક્કી ને? કોઈનું ઔચિત્ય જાળવવા માટે, બહુમાન સાચવવા માટે કે પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે વિનય નથી કરવાનો. માત્ર આઠ કર્મને દૂર કરવા શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૧૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy