SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ કેળવી લઈએ ? ...' આવો અધ્યવસાય ત્યારે કેળવાશે કે જ્યારે કષાયના અભાવ કરતાં ક્ષમાદિગુણોની મહત્તા સમજાશે. જેમ ક્ષમાનો પરિણામ સહન કરવાના પરિણામસ્વરૂપ છે, તેમ મૃદુતા પણ માનના અભાવ સ્વરૂપ નથી. મનમાં અક્કડતા હોવા છતાં માનનો અભાવ હોઈ શકે. એ અક્કડતા કાઢવા માટે મનમાં મૃદુપણાનો, નમ્રપણાનો ભાવ કેળવવો છે. મેં સારું કર્યું છે અથવા તો હું સારું કરું છું - આ ભાવ મનમાંથી કાઢી નાંખીએ તો મૃદુતા આવે. તે જ રીતે કોઈનો વિશ્વાસઘાત કરવો નથી, જેવું નથી તેવું બતાવવાનો પ્રયત્ન નથી કરવો : તેનું નામ સરળતા. ઈચ્છા એની મેળે મરવાની નથી, એ ઈચ્છાને મારવી પડશે-એમ સમજીને મુક્તિ કેળવવી છે. ઈચ્છા દબાવવી તે નિર્લોભતા નહિ, ઈચ્છા મારવી તે નિર્લોભતા. : * આજે આપણી જયણા પણ સુખના ભોગવટા માટેની છે, જીવને બચાવવા માટે નહિ. પાણીમાં કચરો હોય તો ગાળીને વાપરે અને કીડી આવે તો ? હાથેથી કાઢીને છૂટો ઘા કરીએ ને ? પાણીમાં કીડી આવે તોપણ વસ્ત્રથી ગાળીએ તો બચવાની શક્યતા પૂરેપૂરી છે. આપણા સુખ જેટલી પણ બીજાના દુઃખની ચિંતા થાય તો જયણા પળાય. * કષાય ટાળીને ક્ષમાદિ ગુણો કેળવવાથી કષાયપ્રત્યયિક બંધ અટકી જાય. પણ વર્ત્તમાનનો કર્મબંધ અટકવાથી મોક્ષ ન થાય. નવો કચરો આવતો બંધ થયા પછી પણ ભૂતકાળનાં કર્મો કાઢવા માટે તપ કરવો જરૂરી છે. વર્તમાનમાં પાપ ન કરે તોપણ ભૂતકાળના બધા હિસાબ ચૂકવ્યા વગર કોઈની પણ મુક્તિ થઈ નથી અને થવાની નથી. જેટલું ચૂકવવાનું બાકી રહેશે તેટલું પૂરું કરવા ભવાન્તરમાં જવું પડશે. સાધુભગવન્તને બીજો ભવ કરવો નથી માટે તપ દ્વારા ભૂતકાળનાં કર્મની નિર્જરા કરવા તત્પર હોય છે. સ. તપચિંતામણિના કાઉસ્સગ્ગમાં, નવકારશી કરવાનું જ નક્કી હોવા છતાં છ મહિનાની ભાવના છે એવું બોલીએ તો માયા કરી ન કહેવાય ? ભાવના ભાવવી એટલે આત્માને તે માટે તૈયાર કરવો. માત્ર બોલવા ખાતર બોલવાની વાત નથી. શુદ્ધ કોટિનું મન લાવવા માટે ભાવના ભાવવાની છે. ભાવિત બનવું તે ભાવના. આ રીતે રોજ ભાવના ભાવવાથી કર્તવ્યતાનો અધ્યવસાય પેદા થાય તે માટે ભાવવાનું કહ્યું છે. તમે જાતે માયા કરો તેનો ઉપાય નથી. * બંધન વગરના મનવચનકાયા ન રાખવા તેનું નામ સંલીનતા. મન વચન કાયા પર નિયંત્રણ રાખવું. મનની સંલીનતા અશક્ય છે એવું ન કહેવું. ધંધામાં કે ડોક્ટર શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only ૧૭૧ www.jainelibrary.org {
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy