SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ વચનના વિશ્વાસે જ ચાલ્યા હતા. આપણને ભગવાનના વચન કરતાં આપણા મન ઉપર વિશ્વાસ વધારે છે ને ? * શરીર સારું ન હોય તો ધર્મ છોડવો નથી, બેવડો આરાધવો છે. કારણ કે શરીર નકામું થયું જ છે તો જેટલું સધાય એટલું સાધી લેવાનું, આમે ય સારું થવાનું નથી તો તેને સુધારવા માટે મહેનત નથી કરવી, આત્માને સુધારી લેવો છે. * ધર્મ મોક્ષ માટે જ કરવાનો છે, તેથી મારે સાધુપણાનો જ ધર્મ જોઈએ છે, શ્રાવકપણાનો નહિ - આવો પરિણામ મેળવી લેવો છે. * પાંચમા યતિધર્મ તરીકે તપધર્મ બતાવ્યો છે. પહેલાં ક્ષમા, મૃદુતા, ઋજુતા અને નિર્લોભતા : આ ચાર ધર્મ બતાવ્યા પછી તપધર્મ બતાવ્યો છે. કારણ કે કષાયનો ત્યાગ કર્યા વિના તપધર્મની આસેવા ફળદાયી બનવાની નથી. આગળ વધીને કષાયનો ત્યાગ કર્યા બાદ ક્ષમાદિ ધર્મોને આત્મસાત્ કર્યા વિના તપધર્મની પ્રાપ્તિ નથી થતી. આથી ચાર પછી પાંચમો તપ ધર્મ બતાવ્યો. ક્ષમાદિ ધર્મો માત્ર કષાયના અભાવ સ્વરૂપ નથી. કષાય ટાવ્યા પછી પણ ક્ષમાગુણ કેળવવો પડે છે. ક્રોધનો અભાવ એ ક્ષમા નથી, માનનો અભાવ એ મૃદુતા નથી, માયાનો અભાવ એ સરળતા નથી અને લોભનો અભાવ એ મુક્તિ નથી. ક્રોધાદિ કષાયનો અભાવ એ ધર્મ નથી, ક્ષમાદિ ગુણો એ ધર્મ છે. માત્ર ચૂપ રહેવું, મૌન પાળવું એ ક્ષમા નથી. ચૂપ રહેવાથી ગુસ્સો ન કરવાથી કષાયનો અભાવ થઈ જશે પણ એનાથી ક્ષમા નહિ આવે. કારણ કે ક્ષમા તો સહન કરવા સ્વરૂપ છે. આથી જ ક્ષમાદિ ધર્મની વ્યાખ્યા માત્ર ક્રોધાદિના અભાવરૂપે નથી જણાવી. ના છૂટકે મૌન રહીએ, સામો માણસ વધારે બોલશે માટે જવાબ ન આપીએ, નબળા હોવાના કારણે દબાઈને બેસી રહીએ તે ક્ષમા નથી. પ્રતીકાર કરી શકાય એવો નથી માટે ચૂપ રહીએ તે ક્ષમા નથી. કોઈનો ગમે તેવો ગુસ્સો સહન કરી લેવો છે, બીજા પ્રત્યે ગુનો કરવો નથી અને બીજાના બધા ગુના સહન કરી લેવા, શક્તિ હોવા છતાં પણ આપણી જાતના ઉપકાર માટે મૌન રહેવું-તેનું નામ ક્ષમા. બીજાને માફી આપવી તેનું નામ ક્ષમા. ગુસ્સો ન કરવામાં ક્ષમા નથી, પ્રતીકાર ન કરવામાં ક્ષમા નથી, સામાના ગુનાને મન પર લાવ્યા વિના, તેના અપરાધને સહન કરી લેવા તે ક્ષમા છે. કષાય અલગ છે, કષાયનો અભાવ અલગ છે અને સમતા એ અલગ છે. આમ પણ આપણે ગુસ્સો નથી કરતા તો ક્ષમા કેમ ન કેળવી લઈએ ? આમે ય માન નથી મળતું તો માનની અપેક્ષા મૂકીને મૃદુતાગુણ કેમ ન કેળવી લઈએ ? આમે ય માયા ઉઘાડી પડી જ જાય છે તો સરળતા કેમ ન કેળવી લઈએ? આમે ય ઈચ્છા ફળતી નથી તો મુક્તિ કેમ ન ૧૭) શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy