SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ * સંસારનું સુખ તુચ્છ છે, છતાં એમાં જ જેને રતિ છે તેની મતિ પણ તુચ્છ છે એમ માનવું રહ્યું. * પક્ષપાત એ એકાન્તે દોષ નથી અને સમદષ્ટિ એ એકાન્તે ગુણ નથી : તાત્ત્વિક પક્ષપાત એ ગુણ છે અને તત્ત્વ-અતત્ત્વનો ભેદ ભૂંસી નાંખે તેવી સમદષ્ટિ એ મિથ્યાત્વરૂપ દોષ છે. * ભગવાનના ધર્મથી સુખ મળે છે અને દુ:ખ આવતું નથી-આ શ્રદ્ધા નથી જોઈતી. ભગવાનના ધર્મથી સંસારસમુદ્ર તરી જવાય છે અને મોક્ષમાં પહોંચાય છે : આવી શ્રદ્ધા વિના ભગવાનનાં દર્શન કે પૂજા ફળ નહિ આપે. * કોઈના કહેવાથી ધર્મ મૂકી દે તેને ધર્મ ન અપાય. સમર્થ ભવ્ય તેને કહેવાય કે જે માબાપના કહેવાથી પણ ધર્મ છોડી ન દે. સારામાં સારી વસ્તુ તેને અપાય કે જે કોઈના કહેવાના કારણે મૂકી ન દે. હમાલ પણ કેવો શોધો ? રસ્તામાં સામાન મૂકી દે તેવો ? કે ઇષ્ટ સ્થાને પહોંચાડે એવો ? આજે વ્યવહાર સાચવવા માટે આપણે ધર્મ મૂકવા તૈયાર થઈએ ને ? આપણે વ્યવહાર સાચવવા માટે ધર્મી નથી થયા, આપણી જાતને સાચવવા માટે ધર્મી થયા છીએ: એટલું યાદ રાખવું. * દેરાસર-ઉપાશ્રયમાં આવતા કરવા માટે આકર્ષણની જરૂર પડે, પણ દેરાસરઉપાશ્રયમાં આવી ગયેલાને આચરણ કરાવવાની જરૂર છે. ભિખારીને ભીખ આપીએ ત્યારે પણ કાણા ભાજનમાં કે ફાટેલી થેલીમાં ન આપીએ ને ? તો ધર્મ આપનાર, સત્ત્વ-સામર્થ્ય વિનાનાને ધર્મ કઈ રીતે આપી શકે ? ** નિયમમાં આગારો એટલા માટે આપ્યા છે કે નિયમભંગના ભયથી આપણે નિયમ વિનાના રહી ન જાઈએ. આગારો સેવવા માટે નથી, સેવાઈ જાય તો નિયમનો ભંગ નથી થતો તે જણાવવા માટે છે. નિયમના આગારો એ છૂટછાટ નથી, નિયમની સુરક્ષા માટેનું બારણું છે. દિવાલમાં બારણું હોય તો ઘરમાં પેસી શકાય. તેમ જે ક્રિયાઓ આપણને આધીન નથી અને કુદરતી થઈ જાય એવી છે-એવી ક્રિયાઓ થઈ જવા છતાં નિયમ ભાંગી ન જાય તે માટે આગારો છે. * આપણે ત્યાં એકે ક્રિયાનું પ્રાધાન્ય નથી. જે કાળે ભગવાને જે કરવાનું કહ્યું હોય તે કાળે તે કરવું એ જ પ્રધાન છે. ૧૬ Jain Education International For Private & Personal Use Only શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy