SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ મોઢામાં મૂકે તેમણે ભવિતવ્યતાની વાત ન કરવી. તમારા સંસારના કામમાં ભવિતવ્યતાને નામે પુરુષાર્થ મૂકી દીધો ખરો ? ઉઘરાણી લેવા જાઓ તો ભવિતવ્યતાને માની કહેવાય ? ઝાડ પર કેરી પાકે એટલી ય રાહ જોવી નથી, ઘાસમાં પકવીને ખાવી છે અને અહીં ભવિતવ્યતાની રાહ જોઈ બેસી રહેવું છે ! તથાભવ્યત્વ પરિપાક પામશે ત્યારે જઈશું – એવું કહેનારને સમજાવવું પડે કે તથાભવ્યત્વના પરિપાક માટે પુરુષાર્થ કરવો પડશે. ભવિતવ્યતા તો નિગોદમાંથી નીકળવા કામ લાગે. ચરમાવર્તકાળમાં ને વ્યવહારરાશિમાં આવેલા માટે તો પુરુષાર્થ જ કામ લાગે. આ બધું સૂઝતું નથી એમાં નિકાચિત કોટિનું કર્મ કારણ છે કે આપણું મન કારણ છે? કરોડપતિ માણસ જોઈને તેની સાથે દોસ્તી કરીને આપણું કામ કઢાવી લેવાની વૃત્તિ જાગે પણ પરમાત્મા મળ્યા પછી તેમની પ્રત્યે પ્રીતિ કેળવી લઈને આપણું કાર્ય સાધી લેવાનું મન થાય ખરું ? દુ:ખનો કાલ્પનિક ભય અને સુખનો રાગ આ સંસારમાંથી ખસવા જ દેતો નથી. સાધુપણું લેવાથી દુઃખ નથી આવતું, દુઃખ તો ભૂતકાળના પાપના ઉદયે આવે છે. એ દુઃખ ભોગવી લેવામાં આપણે કોઈના પર ઉપકાર નથી કરતા. આપણે જ ભેગું કરેલું છે તે આપણે જ પૂરું કરવું પડે, એમાં બીજા શું કરે ? * વનરશરીરં–પરમાત્માનું આ વિશેષણ છદ્મસ્થ અને કૈવલ્યઅવસ્થામાં સાધારણ છે. એનાથી ભગવાનનું શરીરધારીપણું જણાવ્યું છે. કેટલાક લોકો શાસ્ત્રને, આગમને અપૌરુષેય (શરીરધારીએ ન બનાવેલું) માને છે, તેના નિરાકરણ માટે આ વિશેષણ છે. શરીર વિના મુખ ન હોય, મુખ વિના વચન ન હોય અને વચન વિના ઉપકાર ન થઈ શકે. અને જે પરમાત્મા માર્ગદશક ન હોય અર્થાત્ માર્ગદશનારૂપ ઉપકાર કરનારા ન હોય તો તેવા પરમાત્માને પરમાત્મા માનવાની જરૂર નથી * અહીં અધિકારીનું વર્ણન કરતાં જણાવે છે કે : અલ્પમતિવાળા જીવો ગહન એવા શાસ્ત્રનો અવબોધ સહેલાઈથી પામી શકતા નથી. આથી તેમના અનુગ્રહ માટે આ શાસ્ત્રરચના છે. તેમ જ જે સમર્થભવ્યો છે અર્થાત્ કોઈની શેહમાં અંજાઈને ધર્મને મૂકી ન દે તેવા જીવો સમર્થ કહેવાય છે, તેમના અનુગ્રહ માટે આ રચના છે. સામર્થ્ય હોવા છતાં મતિ અલ્પ છે તેમના પર અનુગ્રહ કરવો : એ પ્રયોજન છે. જે અનુગ્રહનો ભાર ઝીલી શકે તેના પર અનુગ્રહ કરવો જોઈએ, અન્યથા અમૂલ્ય વસ્તુ વેડફાઈ જાય, માટે જ સમસ્તના બદલે વિકલ્પાન્તર તરીકે સમર્થ ભવ્યોનું ગ્રહણ કર્યું છે. * ડોક્ટર આપણા રોગનું નિદાન કરે તે જે રીતે સાંભળીએ છીએ એ રીતે વ્યાખ્યાન સાંભળવામાં આવે તો ચોક્કસ લાભ થયા વિના ન રહે. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy