SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સ. બીજે જે સારું છે તે અહીંનું જ છે – એમ કહેવાય ને ? ચોરીનો માલ સારો કહેવાય ? બીજે જે સારું દેખાય છે તે અહીંથી ચોરેલું છે – એમ કહેવાય. ભગવાનની વાત એવાને એવા સ્વરૂપે રજૂ કરે તો તેને ભગવાનની વાત કહેવાય પણ વિકૃતરૂપે રજૂ કરે તો તેને વિકૃત જ કહેવી પડે ને ? ભગવાને આત્માને નિત્ય કહ્યો છે એટલું કહે તો બરાબર પણ સાથે એકાન્તત્વ ભેળવે તો ભગવાનની વાત વિકૃતરૂપે રજૂ કરી કહેવાય ને ? આથી ‘ભગવાને કહ્યું તે જ સાચું છે અને તે જૈનશાસનમાં જ છે' - આ સાચી શ્રદ્ધા છે. * દરેક મહાપુરુષો ગ્રંથના પ્રારંભમાં નિર્વિદન પરિસમાપ્તિ માટે અને શિષ્યના અનુગ્રહ માટે મંગલ કરતા હોય છે. આપણે પણ મંગલ તો કરીએ છીએ, પણ આપણાં મંગલ સંસારમાં રખડાવનાર છે અને મહાપુરુષોનાં મંગલ આ સંસારથી પાર ઉતારનાર છે. જે સંસારમાં રખડાવે તે દ્રવ્યમંગલ છે અને જે સંસારથી પાર ઉતારે તેને ભાવમંગલ કહેવાય. મંગલ એટલે ઈષ્ટપ્રાપ્તિની પ્રત્યેનાં વિદનોનો નાશ કરનાર. * ત્રણ પ્રકારનાં વિશેષણથી ભગવાનની ત્રણ અવસ્થા જણાવી છે. ‘પ્રાપ્તમવાવતીર” આ વિશેષણથી ભગવાનનો દીક્ષાનો છદ્મસ્થપર્યાય જણાવ્યો. ભવસમુદ્રને તરવા નીકળ્યા ત્યારથી તરેલાજેવા ભગવાન હતા. ‘તુવેવનીર' થી કેવળીપર્યાય બતાવ્યો અને “સિવવતી” થી સિદ્ધાવસ્થા જણાવી. ચાતુર્માસિક પર્વ પ્રસંગે : આજે ચાતુર્માસિક પર્વ છે આથી તેની પણ થોડી વાત કરી લેવી છે. આપણે ભગવાનને માનીએ છીએ તે ભગવાન ભગવાન હતા માટે કે ભગવાન આપણને ભગવાન બનાવે છે માટે માનીએ છીએ? ભગવાન ગુણસંપન્ન છે માટે ભગવાનને પૂજવાના છે- એવું નથી, ભગવાન ગુણસંપન્ન બનાવે છે માટે પૂજવાના છે. તેથી જ આપણે ભગવાનને તિન્નાઈ’ કહ્યા પછી તારયાળ' તરીકે સ્તવીએ છીએ. આ ભગવાને આ સંસારને તરવા જે સાધુપણું બતાવ્યું છે તે સાધુપણાના આચારમાંથી આ ચાતુર્માસ પર્વ આવ્યું છે. ભગવાનની આજ્ઞા સમજાયા વગર આ ચાતુર્માસપર્વનું મહત્ત્વ સમજી શકાય એવું નથી. ક્ષેત્ર સાચવવા માટે ચાતુર્માસ નથી કરવાનું, ભગવાનની આજ્ઞા સાચવવા માટે ચાતુર્માસ કરવાનું છે. શેષકાળમાં જે સાધુભગવન્તને, મમત્વ ન બંધાઈ જાય એ આશયથી એક સ્થાનમાં એક માસથી અધિક સમય રહેવાની અનુજ્ઞા નથી તે જ સાધુભગવન્તને ચાતુર્માસમાં ચાર મહિના માટે કે છ મહિના માટે એક જ સ્થાનમાં ૧૨ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy