SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ને ? પાપ કર્યા પછી જ્યાં સુધી તેની શુદ્ધિ ન થાય ત્યાં સુધી ખાવું નથી એટલું પણ નક્કી કરવું છે ? * સામગ્રી મળવા છતાં જેઓ ક્યારે ય મોક્ષમાં જવાના નથી તે અભવી અને અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક કાળ જેનો બાકી હોય તે દુર્ભવી. * અવિધિપૂર્વક અનુષ્ઠાન કર્યા પછી પણ કોઈ પ્રશંસા કરે તો ગમી જાય પણ અવિધિ કરી છે એનું દુઃખ હોય ખરું? આના ઉપરથી નક્કી છે કે અવિધિ પ્રત્યે રાગ છે. જ્યાં સુધી અવિધિનો રાગ છે ત્યાં સુધી આસન્નભવ્યમાં નંબર નહીં લાગે. * અહીં શિષ્ય શંકા કરે છે કે – આસનભવ્યમાં નંબર લાગે એવો નથી અને અભવ્ય કે દુર્ભવ્યમાં નંબર લગાડવો નથી માટે એવો એકાદ વચ્ચેનો રસ્તો બતાવો કે જેથી માર્ગમાં ટકી રહીએ. આ પ્રમાણેની શિષ્યશંકાનું નિરાકરણ કરવા માટે અઠ્ઠાવીસમી ગાથા છે. ગાથા ૨૮ : વિધિનું જ્ઞાન જેને હોય તેઓ ધન્ય છે, વિધિનું જ્ઞાન મેળવીને કાયમ માટે પ્રવૃત્તિ કરે, આરાધના કરે તેઓ ધન્ય છે, વિધિ પ્રત્યે જેઓને બહુમાન છે તેઓ પણ ધન્યવાદને પાત્ર છે અને વિધિમાર્ગને જેઓ દૂષિત નથી કરતા તેઓ પણ છેવટે ધન્ય છે. * વિધિનું જ્ઞાન, વિધિમાર્ગની આરાધના, વિધિનું બહુમાન અને વિધિમાર્ગની અદૂષકતા : આ ચારમાંથી એકમાં પણ નંબર લાગે તો સારું – એવું થાય ખરું? હજુ પણ આપણી પાસે તક છે. ભૂતકાળમાં જો આયુષ્ય બંધાયું ન હોય તો આપણી સિદ્ધિને આપણે નજીક લાવી શકીએ એવા છીએ. મોક્ષની તાલાવેલી પ્રગટાવવી છે, તેના માટે પુરુષાર્થ કરી લેવો છે – એવો પરિણામ પણ જાગ્યો છે ખરો ? આજે આપણે પરિણામથી શ્રીમંત છીએ કે દરિદ્ર ? પરિણામથી દરિદ્ર છીએ એવું જાણ્યા પછી પણ શાંતિથી પોઢી જઈએ છીએ ને? કેવળજ્ઞાનનો કે દીક્ષાના પરિણામ ન જાગે એ ધર્માત્મા નથી એવું લાગે ખરું ? વરસોથી ધર્મ કરવા છતાં સાધુ થવાનું મન કેમ નથી થતું એ તપાસ્યું ખરું ? * આજે વિધિમાર્ગની રુચિ પણ કપરી છે. છાપાંની રુચિ હોવાથી છાપું આપવા જતી વખતે તેમાંથી બે લીટી પણ વાંચી લે ને? જ્યારે એકાદ પુસ્તક હાથમાં હોય તો એમાંથી એકાદ લીટી પણ વંચાય ખરી ? તીર્થસ્થાને ગયા પછી ત્યાંથી જે પેંડા કે ગુલકંદ ન લાવ્યા હો તો તેનું દુઃખ થાય પણ સાધુપણું ન લઈ આવ્યા એનું દુઃખ થાય ૧૧૦ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy