SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ‘આ * કર્તવ્યતાનો અધ્યવસાય એ રુચિ અને માત્ર કરવાની ઈચ્છા એ ભાવના છે. મારે કરવું જ જોઈએ’ એ રુચિ છે અને ‘આ થાય તો સારું' એ ભાવના છે. ‘દીક્ષા મેળવવી જ છે' એ રુચિ અને ‘દીક્ષા મળે તો સારું' એ ભાવના છે. રાગ, દ્વેષ અને મોહ ત્રણે સાથે આવ્યા હોય ત્યારે મોહ શબ્દનો અર્થ અજ્ઞાન કરાય છે અને મોહ, અજ્ઞાન સાથે આવ્યો હોય ત્યારે મોહ શબ્દનો અર્થ રાગદ્વેષ કરાય છે, તેમ રુચિ અને ભાવનામાં સમજી લેવું. હેય, જ્ઞેય અને ઉપાદેય : એમ ત્રણ રીતે જ્ઞાન હોય પણ રુચિ તો કેવળ ઉપાદેયમાં જ જોઈએ. પરિણામ એટલે રુચિ. ૪ * જેનું સારું થવાનું હોય એને જ સારી સામગ્રી મળે, તેમ જેને મોક્ષે જલદી જવાનું હોય તેને જ વિધિનો રાગ જન્મે. સવારના પ્રતિક્રમણથી માંડીને રાતના સૂવા સુધીની જેટલી પણ ધર્મક્રિયા આપણે કરીએ છીએ એ બધી વિધિના રાગવાળી જ ને ? વિધિ મુજબ થાય તો સારું કે વિધિ મુજબ જ કરવું છે ? તે * જેને જલદી મોક્ષે જવું હોય તે સાધુ થાય. કદાચ સંયોગવશ સાધુ ન થઈ શકે તો ઘરમાં સાધુની જેમ જીવે. * ચરમાવર્તકાળ કે અર્ધપુદ્ગલપરાવર્ત કાળ જ્ઞાનીઓ જ નક્કી કરી શકે. મોક્ષમાં જ્યારે જવાના હોય ત્યારે તેની પહેલાંનો કાળ કે જે છેલ્લા આવર્ત સ્વરૂપ હોય તે ચરમાવર્તકાળ કહેવાય અને તેનો જે અડધો કાળ છે તેને અર્ધ્વપુદ્ગલ પરાવર્તકાળ કહેવાય છે. અર્ધપુદ્ગલપરાવર્તકાળ, અનંતો કાળ વિતાવ્યો એની અપેક્ષાએ ઓછો ભલે હોય પણ આ કાળ પણ કાંઈ ઓછો નથી. આ ભવનું સો વરસનું આયુષ્ય પૂરું કરતા જ્યાં દમ નીકળતો હોય ત્યાં આટલો બધો કાળ પસાર કરવાનું કેટલું કપરું છે ! મરીને અહીંથી બીજે જવાનું છે – આ વાત ભુલાઈ ગઈ છે માટે સુખો ભોગવતાં મજા આવે છે. દસ દિવસમાં મરી જવાનું છે એવું જેને લાગે એને મજા આવે ખરી ? જે કાળ એક વ્યક્તિ માટે ચરમાવર્તરૂપ હોય તે કાળ બીજા માટે અચરમાવર્તરૂપ પણ હોય. આપણે તો ‘આપણે ચરમાવર્તમાં આવ્યા છીએ' એમ સમજીને પુરુષાર્થ કરી લેવો છે. * દુ:ખ ન આવે એટલાપૂરતું પાપ ખટકે એ પાપ ખટક્યું ન કહેવાય. જે પાપ થયા પછી એ પાપની શુદ્ધિ માટે સાધુ થવું છે આવો વિચાર આવે ત્યારે પાપ ખટક્યું કહેવાય. દઢપ્રહારીને પાપ ખટક્યું તો સાધુપણા સુધી પહોંચી ગયા. આજે આપણે શું કરીએ ? આલોચના લેવા તૈયાર થઈએ ને ? ગુરુભગવન્ત બોલે તો ખાવું ભાવે નહીં, જ્યારે પાપ યાદ આવે તો ખાવું ભાવે ને ? જે પાપ થયું એ પાપ બીજી વાર ન થાય શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only ૧૦૯ www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy