SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સારી, ઊંચામાં ઊંચી અને ઉપયોગપૂર્વક લઈએ તેમ પૂજા પણ ઊંચામાં ઊંચા દ્રવ્યથી ઉપયોગપૂર્વક કરવી છે. દવા લેતી વખતે રોગ વધે નહિ તેની કાળજી રાખીએ પણ ધર્મ કરતી વખતે સંસાર વધે નહિ તેની કાળજી છે ખરી ? * દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી શુદ્ધિ રાખીને ભગવાનની પૂજા કરવાની છે. દ્રવ્યથી ઊંચામાં ઊંચું દ્રવ્ય જોઈએ. આપણા ઘરમાં તેનાથી ઊંચું એકે દ્રવ્ય વપરાતું હોવું ન જોઈએ. આપણા પૂજાનાં વસ્ત્રો ઓફિસનાં કપડાં કરતાં ચઢિયાતાં હોય ને ? સ્મશાનમાં જતી વખતે જે કપડાં પહેરો છો તેના જેવા પણ શુદ્ધ અને ઉજ્જવળ વસો પૂજાનાં હોય ખરાં ? પૂજામાં ફળ – નૈવેદ્ય કેવાં વાપરો ? ગંધાઈ ઊઠે એવાં ને ? જમણવારમાં નૈવેદ્યને બદલે સાકર મૂકો તો ચાલે ને ? પારણામાં ફળને બદલે બદામ ખાઓ તો ચાલે ને ? ? સ. ફળનૈવેદ્ય તો પૂજારી લઈ જાય છે. આપણને યમરાજા લઈ જવાનો છે તો જીવવાનું માંડી વાળવું છે ? કેવી વાત કરો છો ? આપણે છોડવા માટે મૂકીએ છીએ, આપવા માટે નહિ. છોડયા પછી કોણ લઈ જાય છે તે જોવા નથી બેસવું. ફળનૈવેદ્ય પૂજારી કેમ લઈ જાય છે ? આપણો વહીવટ ભગવાનની આજ્ઞા મુજબનો નથી, માટે ને ? * ગાથા ૨૭: વિધિપૂર્વક જ કરવું જોઈએ, અવિધિપૂર્વક ન કરાય. વિધિનો પરિણામ કેમ જાગતો નથી અને અવિધિ પ્રત્યે રાગ કેમ છે તેનું કારણ જણાવે છે કે જે આસન્નભવ્ય જીવો હોય અર્થાત્ અત્યન્ત અલ્પ કાળમાં (એક-બે ભવમાં) જેઓ મોક્ષે જવાના હોય તેને જ સદા કાળ માટે વિધિનો પરિણામ હોય છે. અભવ્ય અને દુર્ભવ્ય જીવોને અવિધિમાં રાગ હોય અને વિધિનો ત્યાગ હોય. આથી નક્કી છે કે જે જીવોને વિધિ પ્રત્યે દ્વેષ છે અને અવિધિ પ્રત્યે રાગ છે તે જીવો કાં તો અભવ્ય છે કાં તો દુર્ભવ્ય છે. આ સાંભળીને આપણને આંચકો લાગે ખરો ? આપણે આસન્નભવ્ય છીએ-એવું સાંભળવું ગમે કે આપણો બે-ચાર વરસમાં ગોલ્ડન પિરિયડ આવવાનો છે-એવું સાંભળવું ગમે ? આજે, આપણને વિધિ પ્રત્યે દ્વેષ છે માટે આપણે દુર્વ્યવ્ય છીએ-એવું જાણીને દુઃખ થાય ખરું ? સ. વિધિ પ્રત્યેનો દ્વેષ કઈ રીતે ? કોઈ પણ આપણને વિધિનો ઉપદેશ આપે, ભૂલ કાઢે ત્યારે ‘તમે તમારું કામ કરો..’ એવું કહેવું તે વિધિ પ્રત્યેનો દ્વેષ. દવા લેતી વખતે કોઈ કહે કે આ દવા અત્યારે શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only ૧૦૭ www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy