SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ થતી હોવાથી દરેક પ્રતિમા પૂજ્ય છે. ટૂંકમાં પરમાત્મપ્રતિમા–ન પ્રતિમા પૂજય છે. અન્યથા પોતાના આગ્રહને લઈને બિંબની અવજ્ઞાને કરતો એવો જીવ દુઃખ કરીને અંત આવે તેવા સંસારના પરિભ્રમણ સ્વરૂપ દંભ(દંડ)ને અનિચ્છાએ પણ પામે છે. વૈવું. આ પ્રમાણે કહેવામાં, અવિધિથી કરાયેલ પ્રતિમાને પૂજાની અનુમતિ મળવાથી આજ્ઞાભંગરૂપ દોષની આપત્તિ આવશે-એમ ન કહેવું. કારણ કે આગમમાં કહ્યું છે કે નિશ્રાકૃત કે અનિશ્રાકૃત એવા સર્વ જિનાલયમાં જિનબિંબને જાણીને ત્રણે વેળા સર્વ થોય (૮ થીય) વડે સ્તવના કરવી અથવા એક-એક થોથી સ્તવના કરવી. [કોઈ એક ગચ્છનું હોય તે નિશ્રાકૃત અને સર્વ ગચ્છનું સાધારણ હોય તે અનિશ્રાકૃત કહેવાય : આવા દરેક મંદિરમાં બધાએ પૂર્ણ ચૈત્યવંદન કરવું. અથવા ચૈત્ય વધારે અને સમય ઓછો હોય તો (ચૈત્ય અને સમયને જાણીને) એક-એક સ્તુતિથી પણ ચૈત્યવંદન કરવું, આ પ્રમાણે ધર્મસંગ્રહ ભાષા. ભા. ૧, ૫. ૩૭૦ માં અર્થ છે.] * ધર્મ પ્રત્યે મમત્વ થાય તો સારું છે પણ ધર્મના નામે મમત્વ પોષાય એ ખોટું. મેં ભરાવેલી છે માટે પૂજા કરવી છે, આપણા પૂર્વજોએ બનાવેલી છે માટે પૂજા કરવી છે – આ ભાવ મમત્વમૂલક હોવાથી તે ભાવથી પૂજા ન કરાય. આ તરણતારણ પરમાત્માની પ્રતિમા છે : એમ સમજીને તરવાના ભાવથી પૂજા કરાય. આ અમારા સગા છે, ભાઈ મહારાજ છે, બહેનમહારાજ છે, દીકરાદીકરી મહારાજ છે...... વગેરે ભાવથી ભક્તિ કરીએ તો અતિચાર લાગે. માત્ર આ નિગ્રંથ ગુરુ છે એમ સમજીને ભક્તિ કરવાની સ. ચમત્કારી પ્રતિમા છે એમ સમજીને પૂજીએ તો ક્યો દોષ લાગે? લોકોત્તરમિથ્યાત્વનો દોષ લાગે. સંસારનું સુખ આપે એ જ ચમત્કાર તમે માનો છો ને ? સુખની લાલચે વીતરાગને પૂજે તો લોકોત્તરમિથ્યાત્વ લાગે ને ? આ બધું તમને અતિચારમાં શીખવ્યું છે ને ? શ્રી જિન અરિહંત .... મોક્ષમાર્ગના દાતાર, ઈસ્યાં ગુણ ભણી ન માન્યા.... એમ બોલો ને ? આચાર્યભગવન્તોએ તમને ક્યાંય અજ્ઞાની રાખ્યા નથી. તમે અજ્ઞાન રહ્યા તે તમારા પાપે જ ને ? તમે અજ્ઞાન છો કે અજ્ઞાન રહ્યા છો ? વરસોથી સાધુની નિશ્રા મળવા છતાં અજ્ઞાન ન ટાળ્યું તેમાં દોષ સાધુનો કે તમારો ? સાધુભગવન્તની નિશ્રા મળ્યા પછી જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો કે ઉત્સવ – મહોત્સવ કર્યા? સાધુભગવન્ત ચાતુર્માસમાં આવે ત્યારે તેમને કહી દેવાનું કે અનુષ્ઠાન તો અમે જાતે કરી લઈશું, શાસ્ત્રનું જ્ઞાન અમને આપો. અજ્ઞાન ટાળવું છે ને ? ૧૦૫ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy