________________
* અધઃપતન કરનારી ચીજો સંસારમાં ઠેરઠેર ભરી પડી છે. તેમાંથી
બચવું હોય તો નજર વીતરાગ-શાસનની સામે રાખો. સંસારમાં જોવાલાયક અરિહંત ભગવાન અને તેમના માર્ગે ચાલનારા સુસાધુ છે, જે આત્મહિતમાં પુષ્ટ આલંબનભૂત છે. ધર્મમાં અનાદર એ પહેલું પાપ અને પોતાનું બચાવી પારકાની સામગ્રીથી ધર્મ કરવો એ બીજું પાપ. આવી રીતે ધર્મ કરનારા
પુણ્ય ઓછું બાંધે અને મૂચ્છનું પાપ વધારે. * મિથ્યાત્વ, અવિરતિ અને કષાય : એ ત્રણ આત્માના મહાન
દુશ્મનોનો બધોયે નાચ ધન અને ભોગ ઉપર જ છે. * ધન અને ભોગની જેણે જગતમાં પ્રતિષ્ઠા ઊભી કરી તેણે
જગતને અધઃપતનના માર્ગે વાળ્યું છે. * અર્થ-કામની લાલસા અનેક જન્મ-મરણાદિ રૂપ ભવદુઃખનું
કારણ છે, એ લેશમાત્ર ભૂલવા જેવું નથી. * અર્થ અને કામમાં બેઠેલા છતાં હૈયાથી અર્થ-કામના વૈરી હોય
તે શ્રાવક-શ્રાવિકા અને સંપૂર્ણપણે અર્થ અને કામથી વેગળા
મુક્ત હોય તે સાધુ-સાધ્વી. * કડવી દવા પાવા માટે સાકર બતાવાય, પણ ઝેર પાવા માટે
સાકર ન બતાવાય. સંસારના સુખની લાલચ બતાવી ધર્મ કરાવવો એ સાકર બતાવીને ઝેર પિવડાવવાનો ધંધો છે, એ ધંધો કરવાની ભગવાનની સખત મના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org