SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ * અધઃપતન કરનારી ચીજો સંસારમાં ઠેરઠેર ભરી પડી છે. તેમાંથી બચવું હોય તો નજર વીતરાગ-શાસનની સામે રાખો. સંસારમાં જોવાલાયક અરિહંત ભગવાન અને તેમના માર્ગે ચાલનારા સુસાધુ છે, જે આત્મહિતમાં પુષ્ટ આલંબનભૂત છે. ધર્મમાં અનાદર એ પહેલું પાપ અને પોતાનું બચાવી પારકાની સામગ્રીથી ધર્મ કરવો એ બીજું પાપ. આવી રીતે ધર્મ કરનારા પુણ્ય ઓછું બાંધે અને મૂચ્છનું પાપ વધારે. * મિથ્યાત્વ, અવિરતિ અને કષાય : એ ત્રણ આત્માના મહાન દુશ્મનોનો બધોયે નાચ ધન અને ભોગ ઉપર જ છે. * ધન અને ભોગની જેણે જગતમાં પ્રતિષ્ઠા ઊભી કરી તેણે જગતને અધઃપતનના માર્ગે વાળ્યું છે. * અર્થ-કામની લાલસા અનેક જન્મ-મરણાદિ રૂપ ભવદુઃખનું કારણ છે, એ લેશમાત્ર ભૂલવા જેવું નથી. * અર્થ અને કામમાં બેઠેલા છતાં હૈયાથી અર્થ-કામના વૈરી હોય તે શ્રાવક-શ્રાવિકા અને સંપૂર્ણપણે અર્થ અને કામથી વેગળા મુક્ત હોય તે સાધુ-સાધ્વી. * કડવી દવા પાવા માટે સાકર બતાવાય, પણ ઝેર પાવા માટે સાકર ન બતાવાય. સંસારના સુખની લાલચ બતાવી ધર્મ કરાવવો એ સાકર બતાવીને ઝેર પિવડાવવાનો ધંધો છે, એ ધંધો કરવાની ભગવાનની સખત મના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy