________________
વિશિષ્ટ સારભૂત મનનીય સંગ્રહ
: પ્રવચનકાર : પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યભગવન્ત શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા * મરીને ક્યાં જવું છે-એનો વિચાર કર્યા વિના જીવનની શરૂઆત
કરે એ ભણેલો પણ અભણ છે. * ઇન્દ્રિયો અને મનનો રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દાદિ
વિષયોમાંથી નિગ્રહ કર્યા વિના શુભધ્યાન શક્ય નથી. શરીરના પૂજારીઓ કદી ધ્યાન કરી શકતા નથી. ધ્યાન કરવા માટે સૌપ્રથમ વિષય-કષાયરૂપ સંસાર ભૂંડો લાગવો જોઇએ
અને શરીરનું મમત્વ ટળવું જોઇએ. * શરીર એ આત્માને વળગેલું ભૂત છે. ભૂત પાસે ધર્મનું કામ લે
તે ડાહ્યો અને ભૂતના કામ કરે તે મૂર્ખ ને ! * કુલ કદી મોઢે બોલે નહીં કે મારામાં સુગંધ છે. તેમ દાતા કદી
એમ ન બોલે કે મેં દાન કર્યું. * શરીર અને ઇન્દ્રિયોના ગુલામ એ મુડદાસમાન છે, આવા
મુડદાઓને મોક્ષ કદી સંઘરે નહિ. સંસાર પરિણામે ભૂંડો, મોક્ષ સારો અને સંસારથી છૂટવા અને મોક્ષ મેળવવા ધર્મ કરવાનો. આ ત્રણ મુખ્ય વાત સદ્દગુરુએ તમને કરવાની છે અને આ ત્રણ વાતો કહેવા માટે બધાં શાસ્ત્રો રચાયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org