SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સ. એ માટે અભ્યાસ પાડવો પડે ને શરીર કેળવવું પડે. ‘પડે’ બોલ્યા એટલે સમજી લેવાનું કે આપણે કરવું કશું નથી અને માત્ર વાતો કરવી છે. એમ જ છે ને? સ. તો અમે આવીએ છીએ શા માટે? માત્ર સાંભળવા માટે, એમ કહું? મને પૂછો છો એના બદલે તમે જ તમારી જાતને પૂછી જુઓ કે સાંભળવા માટે આવ્યા છો કે પામવા માટે? સ. અમારા હૃદયને અમારા કરતાં આપ સારી રીતે જાણો છો, એવું અમને લાગે છે. જો ખરેખર એવું લાગતું હોય તો અમારી વાત થોડી થોડી માનવા માંડો. અનુકૂળતાનો ધીરે ધીરે ત્યાગ કરવા માંડો. ઠંડી પડે ત્યારે મોજાં ન પહેરવાં, ધાબળો ન ઓઢવો. દુઃખ આવે ત્યારે દુઃખ ઢાળવાના ઉપાય ન શોધવા. દુઃખ વધારે ભોગવવું. શક્તિ ન હોય તો કેળવી લેવી. ન કેળવાય તો ય વધુ દુઃખ ભોગવનારને યાદ કરી મનને તૈયાર કરવું છે. દુઃખ ભોગવવા માટે તૈયાર થવું જ છે. સ. ધંધાના વિષયમાં શું કરવું? ધંધાના વિષયમાં પણ સૌથી પહેલા જરૂર ન હોય તો કમાવું જ નથી. ધંધો મૂકી દેવો. ધંધામાં પણ શ્રાવક વ્યાજ ન ખાય. કારણ કે વ્યાજ જેની પાસેથી લઈએ તેને આપતી વખતે દુઃખ થાય કે આનંદ થાય? અને બીજાને પીડા થાય તેવું નથી કરવું. પરપીડા એ પાપ છે ને? પાપાય પરપીડનમ્ સાંભળ્યું છે? સ. એમાં સામેવાળાને કમાવામાં સહાય થાય ને? તમે એને સહાય કરવા આપો છો કે વ્યાજના લોભે આપો છો? અને જો સહાય કરવા જ આપવું હોય તો વ્યાજનો લોભ મૂકી દો ને ! આમે ય તમે જે પૈસા ધીર્યા હતા તે નકામા જ હતા ને? Jain Education International ૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001166
Book TitleVairagyasambhav Adhikar
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages80
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy