SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આજે તો બધા ફાવી જાય તો શાસનનો જયજયકાર છે- એવું મનાય છે ને? મિથ્યાત્વી પણ ફાવે, અલ્પજ્ઞ પણ ફાવે, બધા હળીમળીને સાથે જમે એટલે ભગવાનનું શાસન જયવંતું ! ખરું ને? સ. બહુમતીનો પ્રભાવ પડે ને? જેના પર બહુમતીનો પ્રભાવ પડે તેના પર જિનમતની કોઈ અસર નહિ પડે. જ્યાં સુધી મિથ્યાત્વની અસર પડી હોય ત્યાં સુધી સમ્યક્ત્વની અસર થાય નહિ. ડોક્ટર પણ ઓપરેશન કરતી વખતે પહેલાં પેટ સાફ કરાવે છે. પછી બહારની સફાઈ કરે છે. જ્યારે અહીં તો બહારથી સાફસૂફી કરવી છે અને અંદરની ગંદકી રાખી મૂકવી છે- એવી જ મનોદશા છે ને? ન આપણાં મનની શંકાઓ શાસ્ત્રમાં નોંધાયેલી છે. છતાં આપણે જે રીતે શંકા કરીએ અને શિષ્ય જે રીતે શંકા કરે- તેમાં ઘણું અંતર છે. ગ્રંથની શૈલીનો અભ્યાસ કરીએ તો વિનય એ જિનશાસનનો પ્રાણ છેએમ સમજાયા વિના ન રહે. અહીં શિષ્ય શંકા કરતી વખતે સમકિતીને વૈરાગ્ય હોય છે એ માની તો લે જ છે. આથી તેમને જાણકાર પણ માને છે અને શંકા કરતી વખતે એમ પૂછે છે કે જાણકાર છે તો પ્રવૃત્તિ કેમ કરે છે. જ્યારે આપણે શું પૂછીએ? પ્રવૃત્તિ કરે છે તો તેને જાણકાર કઈ રીતે કહેવાય? એમ જ ને? આપણો પ્રશ્ન ગ્રંથકારના વચનનો પ્રતિક્ષેપ (ધાત) કરનારો છે જ્યારે શિષ્યનો પ્રશ્ન ગ્રંથકારના વચનને સંગત કરનારો છે. ઘણા પ્રશ્નો જ એ રીતે પુછાય કે જે માર્ગાનુસારિતાને જણાવનારા હોય છે. આવાઓને માર્ગાનુસારી પ્રજ્ઞા જલદી મળે. શ્રદ્ધા અને જિજ્ઞાસાપૂર્વક પૂછે તેને માર્ગાનુસારી પ્રજ્ઞા મળે. જેઓ માત્ર આક્ષેપ કરવા માટે પૂછે તેને કદાચ જ્ઞાન મળે પણ કોઈ ગુણની પ્રાપ્તિ ન થાય. અત્યારે તો પહેલાં આપણે એ ઘૂંટવું છે કે વિષયોનો ત્યાગ કર્યા વગર વૈરાગ્ય ન જ આવે. જેને રોગ થયો હોય તે પોતાના પુણ્યથી મળેલ Jain Education International ૨૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001166
Book TitleVairagyasambhav Adhikar
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages80
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy