SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આવે. ઈચ્છા ભયંકર છે, ખરાબ છે, તેને કામ નથી કરવા દેવી. વિષયોનો ત્યાગ કર્યા પછી અરતિ થાય તો તે નભાવીશું, પણ વિષયોના ભોગમાં રીત કરવી સારી નહિ. દર્દીને સારું ખાવાનું મન હોય, ડોક્ટર ના પાડે તો ન આપો ને? દર્દી રડે તોપણ તે અરતિ નભાવો ને? અપથ્યની રતિ ન ચલાવો ને? તેમ અહીં પણ કહ્યું ને કે દુઃખમાં અરતિ નભાવી લઈશું પણ સુખમાં રતિ નહિ કરવા દઈએ. એના બદલે આજે શું કહીએ? દુઃખ ભોગવીને આર્તધ્યાન કરવું તેના કરતાં સુખ ભોગવીને ધર્મ કરવો સારોએમ જ ને? ઈચ્છા મારવા માટે સર્વ કેળવવું પડશે. આપણી સાથે કોણ આવે છે- એ નથી જોવું, આપણે ક્યાં જવું છે- એ જોવું છે. આજે વૈરાગ્ય નથી આવતો તેનું કારણ એક જ છે કે સુખ જતું રહેશે અને દુઃખ આવશે. આ કાલ્પનિક ભય સતાવે છે. સુખ ગયું તો સારું થયું, ખોટું હતું તે ગયું અને દુઃખ આવ્યું તો ભલે આવ્યું, સાચું આપણી પાસે આવશે. આજે તો ખાવું, પણ રાગ ન કરવો- એ વૈરાગ્ય તરીકે મનાય છે. શાસ્ત્રકારોએ તો, ખાવું પડે તો રાગ ન કરવાની વાત કરી હતી. સ. વિષયોનો ત્યાગ કર્યા વગર વૈરાગ્ય ન આવતો હોય તો સમકિતીને વૈરાગ્ય કઈ રીતે આવે? આ જવાબદારી તમારી કે મારી નથી, ઉપાધ્યાયજી મહારાજની છે. આગળની ગાથામાં પોતે જ આ શંકા કરવાના છે. શાસ્ત્રકારોને એક વસ્તુનું વિધાન કર્યા પછી લોકો એમાં શું શંકા કરશે તેનો ખ્યાલ હોય જ. આ સર્વજ્ઞોનું શાસન છે. એમાં એક પણ પાસું બાકી ન રહે. આજના બેરિસ્ટરો પણ અલ્પજ્ઞ હોવા છતાં સામો શું કહેશે એનો ખ્યાલ રાખીને દલીલો કરતા હોય છે. આ તો સર્વજ્ઞનું શાસન હોવાથી તેમાં એક પણ તર્ક છૂટી ન જાય. એના કારણે જ આ શાસન જયવંતું છે અને એથી જ અન્ય દર્શનકારો આ શાસન આગળ ફાવતા નથી. કોઈ ફાવી ન જાય તેનું જ નામ જય. જેમાં બધા ફાવી જાય તે સર્વજ્ઞનું શાસન ન હોય. (૨૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001166
Book TitleVairagyasambhav Adhikar
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages80
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy